ક્રિકેટર શાહિદ આફ્રીદી ભડક્યા ઇમરાન ખાન પર | હતું આવું દર્દ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર શાહિદ આફ્રીદીએ ચીનના ચીનના ઉઈગર મુસ્લિમ સમુદાયને લઈને ચિંતા જતાવી છે. તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ઇમરાન ખાન સાથે અનુરોધ કર્યો છે કે, ઇમરાન ખાન તરત જ ચીન સરકાર સાથે આ બાબતને લઈને ચીન સરકાર સાથે વાતચીત કરે. આફ્રીદીએ એ પણ જણાવ્યું કે, ઇમરાન ખાને તેના સારા જીવન માટે કંઈક સારું કરવું જોઈએ. માટે આફ્રીદી થોડા ઉદાસ થયા હતા અને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

આફ્રીદીને શું હતું દર્દ :

રવિવારના દિવસે ટ્વીટ કરતા આફ્રીદીએ લખ્યું કે, ઉઈગર મુસલમાનો વિરુદ્ધ અત્યાચારો સાંભળીને દિલ હચમચી જાય છે. હું ચાહું છું કે, ઇમરાન ખાન તેના વિરુદ્ધ અવાજ ઉઠાવે. તે મુસ્લિમ ઉમ્મતને એક સાથે પાકિસ્તાન લાવવા માટે વાતચીત કરે. ચીનના ભાઈ-બહેન પણ તેનો હિસ્સો છે. 

તમને જણાવી દઈએ કે, ચીનમાં ખુબ જ લાંબા સમયથી ઉઈગર મુસલમાનો વિરુદ્ધ અત્યાચાર થઇ રહ્યા છે. ચીનમાં લગભગ 10 લાખ ઉઈગર મુસલમાન રહે છે. હાલમાં આ દિવસોમાં ઉઈગર મુસ્લિમ સમુદાયના કાર્યકર્તાઓ એ દાવો કર્યો છે કે, ચીનમાં 500 થી વધારે કેમ્પ અને જેલ છે, જ્યાં ઉઈગર મુસ્લિમને રાખવામાં આવ્યા છે. 

શું છે ચીનનું મકસદ :

જિનજિયાંગ ચીનનું સૌથી મોટું પ્રાંત છે અને તે વિસ્તારમાં ઉઈગર મુસ્લિમ સમુદાયના લોકો સૌથી વધારે રહે છે. છેલ્લા ઘણા વર્ષોથી યોજનાબદ્ધ રીતે ચીન ઉઈગર મુસ્લિમોના દમનમાં લગાવી રહ્યા છે. ચીનને એવું લાગે છે કે, ઉઈગર મુસલમાન ન તો તે પોતાના કલ્ચરને છોડવા માટે તૈયાર છે, ન તો તેના ધર્મને અને ન તો તેની ભાષા. તે પોતાના મૂળને છોડવા નથી માંગતા. પરંતુ ચીન આ બાબતને તેના માટે ખુબ જ મુશ્કેલ માને છે. પરંતુ ચીન હાલ ખુબ જ મોટાપાયે કંઈક કરી રહી છે, કે આવતા અમુક વર્ષોમાં ઉઈગર મુસ્લિમ પોતાની અલગ ઓળખ ચીનને હંમેશા હંમેશા માટે ગુમાવી નાખશે અને ચીન ખત્મ થઇ જશે. 

માટે આ બાબતને લઈને આફ્રીદી તેના જ વડાપ્રધાન ઇમરાન ખાન પર ભડક્યા હતા. આફ્રીદીએ પોતાની ચિંતા ટ્વીટ કરીને જણાવી હતી. 

Leave a Comment