પગના તળિયે ડુંગળી રાખીને સુવો થશે આ ચમત્કારિક ફાયદાઓ .. જે તમે ક્યારેય વિચાર્યા પણ નહિ હોય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌰 પગના તળિયે ડુંગળી રાખીને સુવો…  🌰 

🌰 આજે આપણે જાણીશું કે સુતા સમયે પગના તળીયે મોજામાં કાપેલી ડુંગળી રાખીને સુવાના ફાયદાઓ વિશે. આપણે બધા જાણીએ છીએ કે ડુંગળી ખુબ જ ગુણકારી ઔષધી છે. તે વાયુને શુદ્ધ કરે છે. ડુંગળી ખાવામાં આવે તો  આપણા માટે ખુબ જ ગુણકારી છે .પરંતુ જો તેની સાથે સાથે જો ડુંગળીને પગના તળિયે મોજામાં રાખીને રાત્રે સુવો તો પણ તે શરીરને અલગ અલગ પ્રકારના ઘણા ફાયદા પહોંચાડે છે. આજે આપણે તેના વિશે જ જાણીશું.Image Source :

🌰 ઘરેલું પ્રયોગો ની કોઈ કમી નથી પરંતુ આ પ્રયોગથી વધારે પ્રભાવકારી કોઈ પણ વસ્તુ નથી. તમને જાણીને ભલે હેરાની થાય પરંતુ સુતા સમયે એક ડુંગળીની સ્લાઈડસ પગના તળિયા પર રાખીને તેના પર મોજાં પહેરીને સુવો તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે.

🌰 આપણે બધા જાણીએ છીએ કે આપણા પગમાં ઘણા બધા તંત્ર હોય છે જે શરીરના દરેક હિસ્સા સાથે જોડાયેલા હોય છે. જેમ કે નસો, એક્યુપ્રેશર થેરેપીને પણ પ્રેશર કરવામાં આવે છે એટલા માટે જો તમે ડુંગળીનો ટુકડો અથવા સ્લાઈડ્સ પગના તળિયે રાખીને ઉપર મોજાં પહેરીને  સુવો છો તો ખુબ જ અસરકારક રહે છે. તો ચાલો જાણીએ કે શું શું ફાયદો થાય છે.

Image Source :

🌰 મોજાં અને ડુંગળીનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવકારી છે. જો તમે તાવ મહેસુસ કરી રહ્યા છો તો રાત્રે સુતા સમયે આ ઉપાય અજમાવો અને આરામથી સુઈ જાવ. કાપેલી ડુંગળી તમારા આખા શરીરની ગરમીને સુકવી નાખશે અને સવાર પડતાની સાથે જ તમને ખુબ જ રાહત મળશે.

🌰 ડુંગળી એન્ટીબેક્ટેરીયલ ના ગુણોથી ભરપુર હોય છે. શરીરના કોઈ પણ ભાગમાં રાખવામાં અથવા ઘસવાથી તે બેક્ટેરિયાનો નાશ કરે છે અને વધી ગયેલા તાપમાનને ઓછું કરે છે.

Image Source :

🌰 ડુંગળીને પગમાં રાખીને સુવાથી પગમાંથી આવતી દુર્ગંદને પણ પણ દુર કરવામાં મદદગાર સાબિત થાય છે. ઘણા બધા લોકો એવા હોય છે જેના પગમાંથી દુર્ગંદ આવતી હોય છે અને તેના કારણે બીજા વ્યક્તિઓ પરેશાની થતી હોય છે તેવા લોકોએ આ પ્રયોગ કરવો જોઈએ. અમુક લોકો આખો દિવસ શુઝ પહેરતા હોય છે તેના કારણે પણ દુર્ગંધ આવતી હોય છે.માટે ડુંગળી તેની વાસથી આસપાસના વાયુને શુદ્ધ કરે છે.

🌰 એવું પણ માનવામાં આવે છે કે ડુંગળી પગના તળિયાની નીચે રાખવાથી પેટની સંક્રમણ પ્રક્રિયાની સમસ્યાથી છુટકારો મળે છે અને અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ દુર થાય છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ ખુબ જ અસરકારક અને મદદગાર સાબિત થાય છે.

Image Source :

🌰 આ ઉપાય નાના આંતરડા અને મૂત્રાશયની સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. તેના સિવાય શરદી, તાવ, માથું દુખતું હોય, પાચન સમસ્યા હોય તો પણ આ ઉપાય દ્વારા મટાડી શકાય છે. આ ખુબ જ ગુણકારી ઔષધી છે. ખાવામાં પણ ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી પણ શારીરિક ફાયદા થાય છે.

🌰 પગના તળિયા પર ડુંગળી રાખીને મોજાં પહેરવાથી ચામડીના લગતા રોગો પણ દુર થાય છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરીયલ અને ફંગલના ગુણો રહેલા હોય છે. અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબુત કરે છે. આપણા શરીરના બાહ્ય ભાગમાં રહેલા બેકટેરિયાને પણ નષ્ટ કરે છે.

🌰 હવે કોઈ પણ બીમારી હોય તો તેમાં માત્ર એક જ રાત આ પ્રયોગ કરો અને તકલીફોથી મેળવો છુટકારો

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “પગના તળિયે ડુંગળી રાખીને સુવો થશે આ ચમત્કારિક ફાયદાઓ .. જે તમે ક્યારેય વિચાર્યા પણ નહિ હોય”

Leave a Comment