રૂપાણી સરકારના 5 પ્રધાનોના પત્તા કાપશે, આ નામો ઉડે તેવી અટકળો.

છેલ્લાં કેટલાંક સમયથી કોરોના વાયરસનો કહેર વિશ્વની સાથે ગુજરાતમાં વધી રહ્યો છે. તેની વચ્ચે ગુજરાત સરકાર ઘણાં પ્રયત્ન કરી રહી હોવા છંતા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે સરકારે રોજગારીને ધ્યાનમાં રાખતા લોકડાઉન ખોલવા તથા અનલોકનો ચોક્કસ સમયગાળો પણ નક્કી કર્યો છે. પરંતુ આ બધાની સાથે રૂપાણી પોતાની સરકારમાં મોટા ફેરફાર કરશે તેવી અટકળો આવી રહી છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળોએ તેજી પકડી છે. આ વિસ્તરણમાં રૂપાણી સરકારના પાંચ પ્રધાનોનાં પત્તાં કપાઈ જશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રૂપાણીના મંત્રી મંડળમાંથી જેમનાં પત્તાં કપાવાની અટકળ ચાલી રહી છે તેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન આર.સી.ફળદુ અને ઈશ્વર પરમાર ઉપરાંત વિભાવરીબેન દવે, કુમાર કાનાણી અને વાસણ આહિરનો સમાવેશ થાય છે. આ પૈકી ફળદુને વિધાનસભાના સ્પીકર બનાવાય તેવી શક્યતા છે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન અને અનલોકની પ્રક્રિયામાં કોવિડ-19 ના કેસમાં વધારા-ઘટાડાને ધ્યાનમાં રાખીને ફેરફાર થયા કરે છે. તેના કારણે ગુજરાતમાં ટૂંક સમયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ક્યારે યોજાશે તે નક્કી નથી. પરંતુ આ પેટાચૂંટણી પહેલાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી અફવાએ જોર પકડ્યું છે.

અત્યારે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, ભાજપના ચાર ધારાસભ્યોનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાશે અને વર્તમાન પ્રધાનોમાંથી રાજ્ય કક્ષાના એક પ્રધાનને બઢતી આપીને કેબિનેટ દરજ્જાના પ્રધાન બનાવવામાં આવશે.

અત્યારે પ્રદીપસિંહ જાડેજા રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન છે. તેમને કેબિનેટ મંત્રી બનાવીને તેમનું ખાતું બદલવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ પદેથી મુદ્દત પૂરી કરનારા જીતુ વાઘાણી, વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને આત્મારામ પરમારને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાઈ શકે છે. આત્મારામ પરમાર હાલમાં ધારાસભ્ય નથી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પ્રવિણ મારૂને બદલે તેમને ગઢડામાંતી લડાવવાની વાતો ચાલી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજા અને ભાજપના દંડક પંકજ દેસાઈ પણ રાજ્ય કક્ષાના પ્રધાન બની શકે તેવી શક્યતા છે.

Leave a Comment