બે વર્ષ સુધી મોદી રહ્યા હતા હિમાલયની ગુફાઓમાં…. ત્યાં સાધુએ કહી હતી એક સત્ય વાત, જેના કારણે આજે પ્રધાનમંત્રી બન્યા મોદી….

બે વર્ષ સુધી મોદી રહ્યા હતા હિમાલયની ગુફાઓમાં…. ત્યાં સાધુએ કહી હતી એક સત્ય વાત, જેના કારણે આજે પ્રધાનમંત્રી બન્યા મોદી….

મિત્રો આજે નરેન્દ્ર મોદી નામને કોણ નથી ઓળખતું. માત્ર દેશ જ નહિ પરંતુ આખી દુનિયાના લગભગ દરેક લોકો નરેન્દ્ર મોદીને ઓળખતા જ હશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ચા વહેંચવાથી લઈને સીએમ  અને પીએમ કંઈ રીતે બન્યા તે વાત તો બધા લોકો જાણતા હશે. તેમના સંઘર્ષની કથા તો બધા લોકોએ સાંભળી હશે. તો આજે અમે નરેન્દ્ર મોદીના એક એવા રહસ્યની વાત જણાવશું જે જાણીને તમે ખુદ ચોંકી જશો.

ઘણા ઓછા લોકો જાણતા હોય છે નરેન્દ્ર મોદીના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેઓ બે વર્ષ સુધી હિમાલયની ગુફાઓમાં ભટક્યા હતા. ત્યાં હિમાલયમાં તેમને એક સાધુ મળ્યા હતા, એ સાધુએ નરેન્દ્ર મોદીને એક સત્ય જણાવ્યું હતું, અને ત્યાર બાદ જ નરેન્દ્ર મોદીના જીવનમાં ખુબ જ મોટું પરિવર્તન આવ્યું હતું. તો આજે અમે એક એવા રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ખુદ હેરાન રહી જશો. આ લેખમાં અમે તમને જણાવશું કે હિમાલયમાં નરેન્દ્ર મોદી રહ્યા અને એ સાધુએ એ શું કહ્યું હતું તેના વિશે જણાવશું. અને ત્યાર પછી જ નરેન્દ્ર મોદી સફળતા તરફ આગળ વધ્ય હતા. તો ચાલો જાણીએ શું થયું હતું.

મિત્રો નરેન્દ્ર મોદીના માતા હીરાબેને પોતાના 12 વર્ષના દીકરા નરેન્દ્રની કુંડળી એક વડનગરના જ્યોતિષને દેખાડી. નરેન્દ્ર મોદીની કુંડળી જોઇને જ્યોતિષે નરેન્દ્રના માતા હીરાબેનને જણાવ્યું કે તેમનો દીકરાને એક રાજા જેવી જિંદગી મળશે અથવા તે શંકરાચાર્યની જેમ એક મહાન સંત બનશે.

તમને જણાવી દઈએ કે નાનપણમાં જ નરેન્દ્ર મોદી સાધુઓને જોઇને તેમની પાછળ પાછળ જવા લાગતા હતા. તેવામાં નરેન્દ્ર મોદીના માતા પિતાને લાગ્યું કે તેમનો દીકરો ક્યાંક સન્યાસી ન બની જાય. તેથી નરેન્દ્ર મોદીને જણાવ્યા વગર જ નરેન્દ્ર મોદીના લગ્ન  જશોદા નામની એક છોકરી સાથે કરાવી દેવાનું નક્કી કર્યું હતું. એ સમયે બાળ વિવાહની પ્રથા હજુ અમુક જગ્યા પર ચાલતી હતી. માતાપિતાએ પૂછ્યા વગર તેના દીકરાના લગ્ન નક્કી કરી નાખ્યા હતા.

આ વાત સાંભળી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું લગ્નના ચક્કરમાં નથી પાડવા માંગતો અને હિમાલયમાં જઈને સત્યની શોધમાં જવા માંગુ છું. તેમ છતાં પણ નરેન્દ્ર મોદી પર તેમના લગ્ન માટે આખા પરિવારે તેમના પર દબાણ બનાવ્યું અને લગ્ન કરાવ્યા. પરંતુ થોડા સમય પછી આ વાતથી કંટાળીને રાત્રીના અંધકારમાં નરેન્દ્ર મોદી ઘર છોડીને ભાગી ગયા હતા. નરેન્દ્ર મોદી પર લખાયેલી એક પુસ્તકમાં અનુસાર લગભગ બે વર્ષ સુધી નરેન્દ્ર મોદી હિમાલયમાં સાધુઓ સાથે રહ્યા હતા.

તે દરમિયાન નરેન્દ્ર મોદીની મુલાકાત એક સાધુ સાથે થઇ, જેમણે નરેન્દ્ર મોદીને હિમાલય આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું ઈશ્વરની ખોજમાં અહીં આવ્યો છું. ત્યારે તે સાધુએ નરેન્દ્ર મોદીને જણાવ્યું કે બેટા તારી ઉંમર હિમાલયમાં ભટકવાની નથી. સમાજ સેવા કરીને પણ ભગવાનની પ્રાપ્તિ કરી શકાય છે.

ત્યારે એ સાધુએ જણાવ્યું હતું કે તારા માટે દેશનું કર્મ મહાન છે. સાધુનું નહિ. એટલા માટે તારે દેશની સેવા કરવાની છે. ત્યાર બાદ નરેન્દ્ર મોદી પોતાના ઘરે પાછા આવ્યા. પરંતુ હવે તેઓ લગ્ન સંબંધમાંથી અલગ રહેવાનો નિર્ણય કરી ચુક્યા હતા.

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી 17 વર્ષની ઉંમરમાં સન્યાસથી પ્રેરિત થઈને વર્ષ 1967 માં કોલકાતાના બેલુર મઠ પણ ગયા હતા અને તેમણે સ્વામી માધવાનંદ સાથે મુલાકાત કરી હતી. તો કંઈક આવી પરિસ્થિતિઓ પણ આવી હતી પ્રધાનમંત્રી નાત્રેન્દ્ર મોદીના જીવનમાં જ્યારે તેમના પરિવાર જનો તેમનાથી પરેશાન હતા અને ખુદ નરેન્દ્ર મોદી પણ પરેશાન હતા અને સન્યાસ લેવાનું વિચાર્યું હતું. પરંતુ કોને ખબર હતી એક સાધારણ વ્યક્તિ એક દિવસ દેશના અસાધારણ પ્રધાનમંત્રી બની જશે.

તો મિત્રો શું કહેવું છે મોદીજી આવતી ચૂંટણીમાં પ્રધાનમંત્રી બનવા જોઈએ કે નહિ ? હા, કે ના ? કોમેન્ટ જરૂર કરજો, અને આ લેખ ગમ્યો હોય તો શેર જરૂર કરજો એટલે વધુને વધુ લોકો આ વિશે જાની શકે. આ લેખ તમને ગમ્યો હોય તો બીજી કોમેન્ટ કરીને PART-2 લખજો એટલે બીજા પુસ્તકોમાંથી બીજી વાત પણ જણાવીએ. 

1 thought on “બે વર્ષ સુધી મોદી રહ્યા હતા હિમાલયની ગુફાઓમાં…. ત્યાં સાધુએ કહી હતી એક સત્ય વાત, જેના કારણે આજે પ્રધાનમંત્રી બન્યા મોદી….”

Leave a Comment