આ એક ખાસ વસ્તુઓના કારણે ઋષિમુનીઓ અને સમ્રાટ રાજાઓ પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા…. વાંચો એ ખાસ ચીજ વિશે.

🌄 બ્રહ્મ મુહુર્તમાં ઉઠાવાથી કઈ ખાસ ચીજનો ફાયદો થાય છે… જાણો તેના વિશે..🌄

Image Source

આ આર્ટીકલ તમારા જીવનના લક્ષ્ય અને સફળતા સાથે જોડાયેલો છે તો મહેરબાની કરીને પૂરો વાંચવો. જો તમે એક માં કે પિતા છો તો તમારા સંતાનોના ભવિષ્ય માટે આ આર્ટીકલ જરૂર વાંચી લેજો. અને સંતાન જો  સમજી શકે એવું હોય તો તેને પણ વંચાવો.

આમ આપણે બધા જાણીએ છીએ કે સવારે વહેલા ઉઠવાનું મહત્વ કેટલું છે. અને તેના ફાયદાઓ પણ ઘણા બધા છે. પણ તેની વિશે ખરેખર તો ઘણી એવી બાબતો છે જે આપણે કદાચ નથી જાણતા. તો આજે આપણે એક એવી ચર્ચા કરીશું જે આપણા જ્ઞાન અને નિત્ય ક્રમમાં અને આપણા સનાતન ધર્મમાં જે નિર્દેશ દેવામાં આવ્યા છે તે નિર્દેશો વિષે આપણે આજે ચર્ચા કરીશું.

Image Source

આજ કાલ આપણે જોઈએ છીએ કે પૂજા સ્થાનોમાં દેવતાઓનો ખુબ જ વધારો થઇ ગયો છે. અને આપણે મૂળ સનાતન ધર્મને છોડીને કંઈ બીજે જ ભટકી રહ્યા છીએ. અને ભગવાનો અને સંપ્રદાયોના વધવાથી આપણે ભગવાનથી પણ દુર જઈ રહ્યા છીએ. વધતા જતા સંપ્રદાયોથી ભગવાનની રખાવટમાં પણ તકલીફ પડતી હોય છે “

આજકાલ  લોકો દ્વારા કહેવાતી વાતોથી અનેક  પ્રકારની  અંધશ્રદ્ધામાં વધારો કરવામાં આવે છે. આવું કરવાથી માત્રા આપણી અજ્ઞાનતા સામે આવે છે.

Image Source

ખરેખર આપણા વેદો અને પુરાણોનું એવું કહેવું છે કે “ઈશ્વર એ એક સમય ચક્ર છે.” વ્યક્તિ તેના નિર્મિત સમય માટે જ જીવંત હોય છે. ત્યાર બાદ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય જ છે.

બધી અંધશ્રદ્ધામાંથી બહાર આવવાનો એક જ નિયમ છે શાસ્ત્રો.  શાસ્ત્રો અને વેદો પ્રમાણે બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાના ઘણા બધા ફાયદા છે. સવારે વહેલા 4 વાગ્યાથી 5:૩૦ સુધીનો સમય બ્રહ્મ મુહુર્ત કહેવામાં આવે છે. અને આ સમય મોટા ભાગે વેદ ધ્યાન, યોગાભ્યાસ,ધ્યાન અને આધ્યાત્મિક ક્રિયાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને આ સમય સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે જાગતા વ્યક્તિ પાસે શારીરિક અને માનસિક રોગ જીવનભર નથી આવતા.

Image Source

🌄 આ ખાસ વસ્તુઓ હોય છે બ્રહ્મ મુહુર્તના વાતાવરણમાં 🌄

બ્રહ્મ મુહુર્તમાં ઉઠવા વાળા વ્યક્તિના ચહેરા ખુબ જ  તેજ ધરાવતા હોય છે. આયુર્વેદ અનુસાર તે સમયે વાતો પવન ચંદ્રના કિરણોથી તે વાયુ અમૃત કણોથી સજ્જ હોય છે. અને તેને ચાંદની પણ કહેવાય છે. અને તે સમયને અમૃત સમય પણ કહેવાય છે. ત્યારે વહેતા વાયુમાં  41% ઓક્સીજન, 55% નાઈટ્રોજન અને 04% કાર્બન ડાયોક્સાઈડ હોય છે. સૂર્યોદયની સાથે જ સમસ્ત વાયુ મંડળમાં પરિવર્તન થઇ જાય છે. અને તેના ફળ સ્વરૂપે માનસિક એકાગ્રતા અને શાંતિનો અનુભવ કરાવે છે.

Image Source

🌄 શા માટે કરવો જોઈએ એ નિત્ય ક્રમ ? 🌄

આપણા પૌરાણિક વેદો અનુસાર ઘણી બધી રચનાઓ વેદો અને શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. તેમાં આપણી આસપાસ એક સમય ચક્ર ફરતું હોય છે. જે સેકંડ, મિનીટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિનો અને વર્ષ. આ સમય ચક્ર એ આપણી માનસિક અને શારીરિક બંને પ્રકારની શુદ્ધિ માટે ખુબ જ અસરકારક છે.

અને આ સમય ચક્ર પ્રમાણે આપણા ભારતવર્ષમાં ઘણા બધા ખાસ પ્રકારના મુહુર્ત નક્ષત્ર પરથી કાઢવામાં આવે છે. અને તે મુહુર્ત પ્રમાણે સનાતન ધર્મમાં ઘણી બધી પૂજા વિધિઓ અને અને વૈજ્ઞાનિક કારણોથી તહેવારો પણ મનાવવામાં આવે છે. આપણું સમય ચક્ર એક પ્રકારનું ગણિત જ માનવામાં આવે છે. અને તે અંક પર નિર્ભર હોય છે. તેમાં  ધ્યાનને નિત્ય ક્રમ કહેવામાં આવ્યો છે. બ્રહ્મ મુહુર્તમાં કોઈ પણ એક નિત્ય ક્રમ કરવો.

Image Source

બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી લોકોની ઉંમર ૧૨૫ વર્ષ સુધી પણ થઇ શકે છે. તેનું એક જ કારણ છે કે ત્યારે લોકો જો ઉઠે તો તેના શરીરને શુદ્ધ ઓક્સીજન મેળવી શકે છે. અને ચંદ્રની એ વખતની ચાંદની પણ શરીર પર પોતાનો પ્રભાવ પડે છે. આ બધા કારનો સર મનુષ્ય પોતાની ઉંમર ૧૨૫ વર્ષ સુધી પણ લંબાવી શકે છે. 

પણ આજકાલની અનિયમિત જીવન શૈલીના કારણે લોકો 9-10 વાગ્યે જાગતા હોય છે કે મતલબ કે બ્રહ્મ મુહુર્તથી પણ ૫-૬ કલાક મોડા જાગવાથી તેમના શરીરમાં આળસ, કામ, અને ક્રોધનો પ્રભાવ વધુ જોવા મળે છે. 

આ કારણો સર જ પહેલાના સમ્રાટ રજાઓ તથા મહાન ઋષીઓ બ્રહ્મ મુહુર્તમાં જ જાગી જતા, અને તે એક ચિરંજીવી એટલે કે ખુબ લાંબુ આયુષ્ય અને નીરોગી શરીર રાખી શકતા હતા. જો તમારે પણ બ્રહ્મ મુહુર્તમાં જાગવું છે? તમારું જ્ઞાન, તેજ અને શારીરિક બળ  ખુબ વધે તેવી ઈચ્છા છે?

Image Source

પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી નથી શકતા? તો નીચે કોમેન્ટ કરીને જણાવો તો આપના માટે એક એવો આર્ટીકલ પણ લખીશું કે જો તમે ભલે અત્યારે ૮ વાગ્યે પણ જાગતા હોવ પણ તમે તે આર્ટીકલ વાચ્યા બાદ અને તે રસ્તા અપનાવ્યા પછી તમે અમુક સમય બાદ તમારી જાતે જ બ્રહ્મ મુહુર્તમાં જાગી શકશો. 

અમે તમારી માટે બ્રહ્મ મુહુર્તમાં કેવી રીતે જાગવું તેના વિશે ખુબ સરળ પગલા વાળો આર્ટીકલ લખીશું. તો કોમેન્ટમાં “PART – 2”  એમ લખજો. તો અમને પણ ખબર પડે કે તમે પણ બ્રહ્મ મુહુર્તમાં જાગવાની અને તમારું સુંદર જીવન વધુ તેજમય બનાવવા માંગો છો.  

Image Source

જો બ્રહ્મ મુહુર્તમાં ઉઠવામાં આવે તો તે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તે વ્યક્તિમાં એક પ્રકારની કાર્ય પદ્ધતિ પણ ડેવલપ થાય છે. જો બ્રહ્મ મુહુર્ત દરમિયાન ઉઠીને ધ્યાન કરવામાં આવે તો તેનો વિશેષ લાભ થાય છે અને આપણા વ્યક્તિત્વને ચમકાવે છે. આપણું મનન અને ચિંતન બંને તેજ બને છે. જેનાથી આપણા શરીરની બધી જ્ઞાનેન્દ્રિયો અને ધ્યાનેદ્રીઓનું સંકલન ખુબ જ સરળતાથી થાય છે. આપણા મન પર કાબુ અને એકાગ્રતા પણ આવે છે.

બ્રહ્મ મુહુર્તના સમયે સવારે વહેલું ઉઠવાથી આપણી માનસિક અને શારીરિક બંને લાભો મળશે. અને મન અને તન બંનેની તંદુરસ્તી જાળવો. કેવી રીતે બ્રહ્મ મુહુર્તમાં ઉઠવું તેની ટીપ્સ જાણવા કોમેન્ટમાં  “PART – 2”  એમ લખજો…. ધન્યવાદ 

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇

➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

14 thoughts on “આ એક ખાસ વસ્તુઓના કારણે ઋષિમુનીઓ અને સમ્રાટ રાજાઓ પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા…. વાંચો એ ખાસ ચીજ વિશે.”

Leave a Comment