14 વર્ષની છોકરી ઘરે માં-પિતા સાથે ઝગડો કરી ભાગી ગઈ, લાગી આવા લોકોના હાથમાં અને પછી બન્યું આવું.

ઘણી વખત સાંભળ્યું હોય કે છોકરા અને છોકરીઓ પરિવારની કોઈ વાતનું ખોટું માનીને અથવા કોઈ અન્ય તણાવના કારણે ઘર છોડવાનો વિચાર કરે છે. ઘણા તો આ વિચાર પર અમલ કરીને ઘર પણ છોડી દે છે. જે તેમના જીવનની સૌથી મોટી ભૂલ બની જાય છે. ઘરની બહાર તેઓને ખબર જ નથી હોતી કે, તેમની સાથે કેવી ઘટના બની શકે છે. આવી જ એક ઘટનાનો શિકાર બની છે 14 વર્ષની છોકરી. જેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

10 સપ્ટેમ્બર 2019 ના રોજ, ફાજિલ્કામાં માતા-પિતા સાથે લડ્યા પછી એક 14 વર્ષની બાળકી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ તે દલાલોના હાથમાં લાગી ગઈ હતી. તે ચાર દલાલો હતા. એ ચારેય આરોપી છોકરીને નશામાં બેભાન કરીને વેશ્યાવૃત્તિનો ધંધો કરતા હતા. પરંતુ તે ચારેય આરોપીને દુગ્ગરી પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા કાબૂમાં લીધા હતા.

એ ચારેય આરોપીઓની ઓળખ પણ થઈ ગઈ છે. તેમાં ગગનદીપ સિંહ જે કોટનો રહેવાશી છે, મંગલ સિંહ અને આશિષ, ટિબ્બાનો રહેવાસી છે. રમણદીપ કૌર દુગ્ગરીનો રહેવાસી છે. સુનીતા રાનીની ઓળખ ટિબ્બાની રહેવાસી તરીકે થઈ હતી.એસએચઓ ઇન્સ્પેક્ટર સુરિન્દર ચોપરાના જણાવ્યા અનુસાર, પીડિતા 10 સપ્ટેમ્બર, 2019 ના રોજ ફાજિલ્કા સ્થિત તેના ઘર પર તેના માતા-પિતા સાથે લડ્યા બાદ ટ્રેનમાં ચડી હતી અને બપોરે 2 વાગ્યે લુધિયાણા રેલ્વે સ્ટેશન પહોંચી હતી. જ્યાં આ છોકરી ગુનેગાર સિમરનને મળી હતી. તેણીને વાતોમાં ફસાવીને પોતાની સાથે દુગ્ગરીના ફેસ-3 માં પોતાના તેના ઘરે લઈ ગયો. તેનો એક મિત્ર રાજનદીપ ત્યાં સિમરનને મળવા માટે આવતો હતો.

થોડા દિવસો પછી, સિમરન કોઈ કામના કારણે ત્રમ દિવસ સુધી બહાર ગઈ હતી અને રાજનદીપ ત્રણ દિવસ સુધી આ છોકરી સાથે અવૈધ સંબંધ બનાવતો રહ્યો. જે બળજબરી સાથે આ છોકરી સાથે સંબંધ બનાવતો હતો. આવું લગભગ 3 મહિના સુધી ચાલ્યું હતું. ત્યાર બાદ એક દિવસ રાજનદીપ તેના મિત્ર સાથે આ છોકરીને ટિબ્બા રોડ પર લઈ ગયો, જ્યાં સુનિતા રાણી નામની  એક મહિલાના ઘર છોડીને નીકળી ગયા.પીડિતાના કહ્યા અનુસાર, સુનિતા દરરોજ તેને નશો કરાવીને બેભાન કરાવીને દેહ વ્યાપાર કરાવતી હતી ઘણા દિવસો પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે રેલ્વે સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેને ચાઇલ્ડ હેલ્પ લાઇનના સભ્યો વતી દોરાહા લઈ જવામાં આવી હતી અને ફેબ્રુઆરીમાં તેણી તેના ઘરે પહોંચી હતી.

જ્યાં તેણે તેની સાથે ઘટેલી બધી ઘટના સંભળાવી, તે પછી એફઆઈઆર નોંધાઈ હતી અને તપાસ દુગ્ગરી પોલીસને સોંપવામાં આવી હતી. કેસ નોંધાયાની સાથે જ ગુનેગારો ફરાર થઈ ગયા હતા, જેની ધરપકડ કરવામાં આવી રહી છે અને 3 દિવસના રિમાન્ડ પર કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Comment