હાર્ટ એટેક નું જોખમ વધતા પહેલા જોવા મળે છે આવા લક્ષણો.. જાણીલો એ લક્ષણો નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે ક્યારે, ક્યાં ને કેવી રીતે કોઈને હાર્ટ એટેક આવી જાય છે તેની ખબર જ નથી રહેતી. પણ એક વાત સત્ય છે કે આજે હ્રદયરોગની બીમારી ખુબ જ ઝડપથી વધી રહી છે. તેનાથી બચી નથી શકાતું. પણ જો તમે થોડી સાવધાની રાખશો તો હ્રદય રોગની બીમારીથી બચી શકો છો. 

આખી દુનિયામાં હદય સબંધિત રોગો મૃત્યુનું સૌથી મોટું કારણ બની રહ્યા છે. વધતી ઉમર સાથે હદય રોગનું જોખમ વધે છે. 50 વર્ષ પછી આ સમસ્યા વધુ જોવા મળે છે. ઘણીવાર આપણા માતાપિતા તેમના સ્વાસ્થ્યને પણ અવગણે છે, પરંતુ કેટલીકવાર તે જીવલેણ સાબિત થઈ શકે છે. જો તેમને શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાના લક્ષણો અનુભવી રહ્યા હોય તો તરત જ તબીબી સલાહ લો. તમે તમારા માતાપિતાની વર્તુણક અને શારીરિક ભાષા દ્વારા હદય રોગના લક્ષણો શોધી શકો છો. તો ચાલો જાણીએ આવા જ કેટલાક લક્ષણો વિશે.

હાઈ બ્લડ પ્રેશર : આ દિવસોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં સામાન્ય બની ગઈ છે. 50 વર્ષની ઉમર પછી આ રોગનું જોખમ વધે  છે.  ડીજીટલ બ્લડ પ્રેશર માપન મશીનની મદદથી તમે દર અઠવાડિયે અથવા 15 દિવસે તમારા માતાપિતાના બ્લડ પ્રેશરની તપાસ કરી શકો છો. જો તમારા માતાપિતા હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે, તો તમારે  નિયમિત તપાસ કરવી જોઈએ. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર તમારા હદયને સખત બનાવી શકે છે, જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

હાઈ બ્લડ સુગર : આજકાલ લોકોમાં  ડાયાબીટીસમાં દર્દીઓએ ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. બ્લડ શુગર કોરોનરી આર્ટરી ડીસીનું જોખમ વધારે છે. ખરેખર લોહીમાં ખાંડના સ્તરમાં વધારો થવાને કારણે કોરોનરી ધમની સાંકડી થઇ જાય છે. આ રુધીરવાહીનીઓના કાર્યમાં અવરોધે છે. તેથી હદયની તંદુરસ્તીને જાળવવા માટે સમય સમય પર બ્લડ સુગરનું સ્તર તપાસવું મહત્વપૂર્ણ છે.

હાઈ કોલેસ્ટ્રોલ : કોલેસ્ટ્રોલ ચરબીયુક્ત પદાર્થ છે જે શરીરના દરેક કોષોમાં જોવા મળે છે. વધારે પ્રમાણમાં તે લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને રુધીરવાહીનીઓમાં જમા થાય છે. આં ધમનીઓને સાંકડી કરે છે અને કોરોનરી ધમની બીમારીનું જોખમ વધારે છે. કોલેસ્ટ્રોલ નું સ્તર નિયમિત રીતે તપાસો. તમારા આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.

છાતીમાં દુખાવો : કેટલીકવાર તમારા માતાપિતા એટલે સુધી કે તમે પોતે પણ છાતીના દુખાવાને ગેસ અથવા એસિડીટી તરીકે અવગણો છો. જો તમારા માતાપિતાને છાતીમાં દુખાવો અથવા દબાણ લાગે છે, તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આ સિવાય ધમનીમાં અવરોધ થવાને કારણે છાતીમાં દુખાવો પણ થઇ શકે છે. આ લક્ષણોને અવગણશો નહિ અને તરત જ ડોક્ટરની સલાહ લો. તે ખૂબ જ ઓછા કેસોમાં થાય છે કે કોઈને છાતીમાં દુખાવો વિના હાર્ટ એટેક આવે છે.

ગળા અને જડબામાં દુખાવો : જો તમારા માતાપિતાને છાતીમાં દુખાવો થાય છે જે તેમના ગળા અને જડબા સુધી લંબાઈ છે, તો તે હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.

અતિશય પરસેવો : કોઈપણ વર્કઆઉટ્સ અને કામ વગર અતિશય પરસેવો થવો એ હદય રોગની નિશાની હોઈ શકે છે. જયારે હદય રક્તને યોગ્ય રીતે પમ્પ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તે કોઈપણ કારણ વિના વધુ પડતો પરસેવો લાવે છે. જો આ લક્ષણો તમારા માતાપિતામાં દેખાઈ રહ્યા છે તો પછી બેદરકારી વિના તબીબી સલાહ લો.

ચક્કર : ચક્કર અને આંખો સામે અંધકાર લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. જો તમારા માતાપિતા આ સમસ્યાઓના ચિહ્નો બતાવી રહ્યા છે તો તરત જ ડોક્ટરની પાસે જાવ. લો બ્લડ પ્રેશર શરીરમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. આને કારણે લોહીનો પ્રવાહ હદય સુધી યોગ્ય રીતે પહોચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

ઉલટી, ઉબકા અને ગેસની સમસ્યાઓ : ઉબકા પછી ઉલટી થવી તે પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.  સામાન્ય રીતે પેટમાં દુખાવો, અપચો, હાર્ટ બર્ન, અથવા ઉલટી થવી એ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. જો તમારા માતાપિતાને પણ આવા લક્ષણો લાગે છે તો તરત જ ડોક્ટરની સલાહ લો.

પગમાં સોજા થવા : પગમાં, પોચામાં, અને પગના તળિયામાં સોજા પણ હદય રોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. કેટલીકવાર હદયમાં રક્ત પરિભ્રમણના અભાવને કારણે પગ અને પગની ઘુટીઓ અને તળિયમાં સોજો આવે છે.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment