અરણી નામની આ અલૌકિક ઔષધીના ઉપયોગ જાણીને તમે ચોકી જશો… મોટી બીમારીઓને પણ જડથી દૂર કરે છે

મિત્રો આપણે ત્યાં અનેક ઔષધિઓનો ઉપયોગ રોગોને દુર માટે કરવામાં આવે છે. તેમજ તે પ્રાકૃતિક રીતે અસરકારક રીતે કામ કરે છે. જો કે આ આયુર્વેદિક ઔષધિઓનો સ્વાદ ભલે કડવો કે તૂરો હોય પણ તે રોગોને દુર કરવામાં એક રામબાણ તરીકે વપરાય છે. આજે અમે તમને એક એવી ઔષધી વિશે જણાવીશું જેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. ચાલો આ અલૌકિક ઔષધી વિશે જાણી લઈએ.

અરણીના વિભિન્ન ભાષાઓમાં નામ : અરણીને અલગ અલગ ભાષામાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જેમ કે હિન્દીમાં અગેધુ, સંસ્કૃતમાં કણિકા, ઉર્દુમાં ગરણી, કન્નડમાં અગ્નિમન્થા, ગુજરાતીમાં અરણી, પંજાબીમાં ગાનીયાર, તામિલમાં મુન્નાઈ, તેલુગુમાં નાગુરા, બંગાળીમાં ગનીર, મરાઠીમાં નારવેલ, વગેરે નામે ઓળખવામાં આવે છે. અરણી અનેક રોગોના દવા રૂપે જેમ કે સંધિવા, તાવ, બવાસીર, અતિસાર, ઉદર રોગ, સોજા, રક્ત શુદ્ધિ, ત્રિદોષ ગુલ્મ, વગેરે બીમારીઓના ઈલાજ અરણીના ઔષધીય ચિકિત્સા પ્રયોગ કરવામાં આવે છે.સંધિવામાં અરણીના ફાયદા અને સેવનની વિધિ : સંધિવામાં અરણીના પંચાંગનો 100 મિલીલીટર ઉકાળો સવાર સાંજે પીવાથી સંધિવા અને સ્નાયુની પીડામાં લાભ થાય છે.

તાવમાં અરણીનો ફાયદો અને સેવન વિધિ : જ્યારે તમને ઠંડીની સાથે તાવ આવે છે, તેમાં અરણીની મૂળને મસ્તક પર બાંધવાથી અથવા લેપ કરવાથી તાવમાં તરત રાહત મળે છે. અરણીના 10 થી 15 પાન અને 10 કાળા તીખા પીસીને સવાર સાંજ સેવન કરવાથી શરદીનો તાવ તરત ઉતરી જાય છે.

બવાસીર : બવાસીરમાં અરણીના પાનનો 100 મિલીલીટર ઉકાળો પીવાથી થતા તેના પાનની પોટલી બનાવીને બાંધવાથી બવાસીરમાં લાભ થાય છે. અતિસાર : અતિસાર એટલે કે દસ્તમાં અરણીના પંચાંગનો ઉકાળો 30 મિલીલીટર સવાર સાંજ સેવન કરવાથી દસ્તમાં લાભ થાય છે તેમજ પેટના કીડા મરી જાય છે.ઉદર રોગમાં અરણીનું સેવન : ઉદર રોગ એટલે કે પેટના રોગમાં અરણીના 100 ગ્રામ જડને લઈને અડધા કિલો પાણીમાં ધીમા તાપે 15 મિનીટ સુધી ઉકાળો. તથા 100 ગ્રામ પાણી દિવસમાં બે વખત પીવાથી પેટના વિકાર દુર થાય છે. અરણીના પાનનો 100 મિલીલીટર ઉકાળો બનાવીને સવાર સાંજ પીવાથી પેટના રોગ ઠીક થઈ જાય છે.

સોજા : સોજામાં અરણીના મૂળનો 100 મિલીલીટર ઉકાળો બનાવીને સવાર સાંજ સેવન કરવાથી પેટની પીડા જળોદર, અને બધા પ્રકારના સોજા દુર થાય છે. અરણીની જડ અને પુનર્નવાની જડ બંને સાથે પીસીને ગરમ લેપ શરીરના સોજા પર લગાવવાથી રાહત મળે છે.

રક્ત શુદ્ધિ : રક્ત શુદ્ધિમાં અરણીની જડને 100 મિલીલીટર ઉકાળો બનાવો અને સવાર સાંજ 20 થી 30 મિલીલીટર પાણીથી લોહી શુદ્ધ થાય છે અને હૃદય મજબુત બને છે. અરણીના પાનના રસમાં મધ મિક્સ કરીને પીવાથી લોહીની અશુદ્ધિ દુર થઈ જાય છે.

કબજિયાત : કબજિયાતમાં અરણીના પાન અને હરડેને 100 મિલીલીટર ઉકાળો બનાવીને સવાર સાંજ 30 મિલીલીટરની માત્રામાં પીવાથી કબજિયાત દુર થાય છે.ત્રિદોષ ગુલ્મમાં : પેટના ગેસમાં પણ અરણીની જડને 100 મિલીલીટર પાણીમાં ગરમ કરી તેનો ઉકાળોમાં 30 ગ્રામ ગોળ મિક્સ કરીને સેવન કરવાથી પેટનો ગેસ દૂર થાય છે.

શીતપિત્તમાં : જ્યારે તમને પિત્ત થાય ત્યારે આ શીતપિત્તમાં અરણીની જડને 2 ગ્રામ ચૂર્ણ એક અઠવાડિયા સુધી ઘીની સાથે સેવન કરવાથી પિત્ત દુર થાય છે અને ઉદર રોગમાં પણ આરામ મળે છે.

ઉપદંશમાં અરણીનો પ્રયોગ : ઉપદંશમાં અરણીના પાનને 12 ગ્રામ અથવા તેનો રસ સવાર સાંજ પીવાથી જુનો ઉપદંશ દુર થાય છે. હૃદયની દુર્બળતા : હૃદયની નબળાઈમાં અરણીના પાન અને કોથમીરને 60 – 70 મિલીલીટર ઉકાળામાં પીવાથી હૃદયની નબળાઈ દૂર થાય છે.અરણીનો પરિચય : અરણી ઉત્તર ભારતમાં વિશેષ રૂપે ગંગાના મેદાન, અને બિહાર તથા પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. કુમાઉથી ભૂટાન સુધીની 5000 ફૂટની ઉંચાઈ સુધી જોવા મળે છે. દશમુલનું ઉત્પાદન હોવાથી તેનો મૂળ પન્સારિયો પાસે મળે છે. આથી તેને અગ્નિ મન્થા કહે છે. અરણીની હજી એક જાતી મળે છે, જેને નાના અરણી, તરકરી ટેકાર, કહે છે. મોટી અરણીની પણ ઘણી પ્રજાતિઓ છે.

અરણીના બાહ્ય સ્વરૂપ : મોટી અરણી તે 25 થી 30 ફૂટ ઊંચા વૃક્ષ હોય છે. તેની છાલ હળવા મરુણ રંગની હોય છે. પાન અભિમુખ 2 થી 6 ઇંચ લાંબા અને બંને માથા પર પાતળા લામ્બ્રાગ 5-6 જોડી શીરાથી યુક્ત હોય છે. સુકાયા પછી તે કાળા પડી જાય છે. તેને મસળવાથી દુર્ગંધ આવે છે. અરણીના ફૂલ 2-5 ઈંચની વ્યાસની વિભક્ત રોમશ, પુષ્પ દ્રીઓષ્ટ, હરિતાભ, શ્વેત વર્ણ હોય છે. અરણીના ફળ ગોળાકાર, હોય છે. તેનો રંગ જાંબલી અને કાળો હોય છે. તે એપ્રિલ અને મે માં ફળ આવે છે. અરણીની જૂની શાખાઓ પર સામસામે કાંટા હોય છે.નાની અરણી તેનો પ્રસારણ શીલ ગુલ્મ અથવા નાનું વૃક્ષ 10 ફૂટ સુધી ઊંચું, પાન અભિમુખ, દન્તુર, પ્રાયઃ બે ઇંચ લાંબા અને પહોળા હોય છે. તેના ફળ અંડાકારના હોય છે અને સુકાય જવા પર ચાર ખંડમાં ફાટી જાય છે.

અરણીના ઔષધીય ગુણધર્મ : અગ્નિવર્ધક, શોથ, કફ, વાત્ત, પાંડુરંગ દુર કરનાર એક કડવી પૌષ્ટિક, કફઘ્ર, અનુલોમન, અને શીત પ્રશમનં છે. તેનું મૂળ વિરેચક, અગ્નિવર્ધક તથા યકૃતની પીડા દુર કરનાર છે. નાની અરણી કડવી, ઉષ્ણ, મધુર, તથા કફ શોથ, પાંડુ રોગ દુર કરનાર છે.

અરણીનાં બીજા ફાયદા જાણવા માટે કોમેન્ટ કરો part 2.. અમે બીજો ભાગ લખી આપની સમક્ષ રજૂ કરીશું

(નોંધ : ઉપર જણાવેલ માહિતી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment