ગળામાં દુખાવો, ખરાશ, સોજો, શરદીનો મફત અને બેજોડ ઉપાય, અજમાવો એકવાર જડમૂળથી મળશે તરત જ રાહત..

શરદી ઉધરસ અને ગળા ની ખરાસ દરેક વ્યક્તિમાં  જોવા મળતી સામાન્ય સમસ્યા છે. આમ તો આ કોઈ ગંભીર સમસ્યા નથી પરંતુ આપણે જ્યારે આ સમસ્યાગ્રસ્ત થઈએ ત્યારે આખા દિવસ દરમિયાન કંઈ જ ગમતું નથી, અને ચિડિયું બની જવાય છે. આ સમસ્યાના સચોટ ઉપચાર રૂપે આપણા દાદી અને નાની એ જણાવેલ ઉકાળો એ એક આયુર્વેદિક ઉપચાર છે.

કોરોના સંક્રમણના કારણે ઉકાળો એક વાર ફરીથી મોટા સ્તર પર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફાયદાકારક હોવાની સાથે આને તૈયાર કરવો પણ અત્યંત સરળ છે. કારણકે આને તૈયાર કરવા માટે અડધા થી ઉપર વસ્તુઓ તમને તમારા રસોડામાંથી જ મળી જશે. ઉકાળો ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે શરદી, ઉધરસ, ફલૂ, તાવ, ગળાની ખરાસ કે દુખાવા માં તૈયારીમાં આરામદાયક બને છે. મોસમમાં બદલાવની સાથે મુસાફરી કે વધારે કોલ્ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ ના સેવનથી પણ આ સમસ્યા થવી સામાન્ય છે. એવામાં આ સમસ્યાઓને ઘરે જ ઠીક કરવા ઉકાળા ની રેસિપી અમે તમારા સુધી લઈને આવ્યા છે.આયુર્વેદ એક્સપર્ટે ઉકાળાની રેસીપી જણાવતા કહ્યું કે ફુદીનો, અજમો, મેથી અને હળદર થી તૈયાર કરેલો ઉકાળો અત્યંત અસરકારક હોય છે. તમને શરદી ઉધરસ સાથે સંબંધિત સમસ્યાઓમાં તૈયારી માં રાહત પહોંચાડવાનું કામ કરે છે. આ ઉકાળા ની વિશેષતા એ છે કે તમે આનો ઉપયોગ પીવાની સિવાય કોગળા કરી શકો અને નાસ પણ લઈ શકો છો.

ઉકાળો બનાવવા માટે જરૂરી સામગ્રી:- બે ગ્લાસ પાણી, એક મુઠ્ઠી ફુદીનો, એક નાની ચમચી અજમો, અડધી નાની ચમચી મેથી, અડધી નાની ચમચી, હળદર 

રીત:- 2 ગ્લાસ પાણી લો. પાણીમાં મુઠ્ઠીભર ફુદીનો, એક નાની ચમચી અજમો, અડધી નાની ચમચી મેથી અને અડધી નાની ચમચી હળદર મેળવીને તેને મીડીયમ આંચ પર 5 થી 7 મિનિટ સુધી ઉકાળો.

કેવી રીતે કરવો ઉકાળાનો ઉપયોગ:- તમે આ આયુર્વેદિક મિશ્રણની બહુમુખી વિશેષતાને કારણે ત્રણ પ્રકારે ઉપયોગ કરી શકો છો. 1) નાસ લઇ ને, 2) પીવા માટે, અને 3) કોગળા કરીનેકયા સમયે કરવું ઉકાળાનું સેવન:- આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે આ તૈયાર ઉકાળાનો ઉપયોગ તમે ગાળીને ખાલી પેટે કે દિવસમાં કોઇપણ સમયે પરંતુ ભોજન ના એક કલાક પહેલા પી શકો છો. તેના સિવાય દિવસમાં ત્રણવાર આ ઉકાળાના કોગળા કરી શકો છો.આ ઉકાળો ગળા ના દુખાવા થી અત્યંત રાહત અપાવશે.

આ સામગ્રીના છે ઔષધીય ગુણ:-

અજમો:- આમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન અને મિનરલ હોય છે જે પેટ સંબંધિત બિમારીઓમાં રાહત પહોંચાડે છે. સાથે જ ત્વચાની સમસ્યાઓ અને હાડકા ની કમજોરી સહિત વેઈટ લોસ કરવામાં પણ મદદ કરે છે. 

હળદર:- આમાં વાત, કફ દોષો ને દૂર કરવા વાળા ગુણો હોય છે. આ શરીરની ઇમ્યુનિટી ને વધારવાની સાથે ડાયાબીટીસમાં પણ અત્યંત લાભદાયક માનવામાં આવે છે.ફુદીનો:- ફુદીનામાં કફ અને વાયુદોષને દૂર કરવા વાળા ગુણ હોય છે. એવામાં આનો ઉપયોગ મળ મૂત્ર સંબંધિત સમસ્યાઓ સહિત શરીર ની કમજોરી માં પણ કરી શકાય છે. 

મેથી:- મેથીમાં નિયાસીન,પ્રોટીન,પોટેશિયમ, ફાઈબર,વિટામીન સી, આયર્ન વગેરે ભરપૂર પ્રમાણમાં ઉપસ્થિત હોય છે. આમાં ડાયોસ્જેનિન નામનું સંયોજન હોય છે, જે સેક્સ હોર્મોન ને વધારવાનું કામ કરે છે. એવામાં આનો ઉપયોગ સેક્સ્યુઅલ સમસ્યાઓથી બચવા માટે પણ કરી શકાય છે. સાથે જ આ કોલેસ્ટ્રોલ, સુગર, વજન અને હૃદય સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે અસરકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment