પેટની નસોમાં સોજો કે દુખાવો થાય તો તરત કરો આ કામ, ઘર બેઠા જ મળશે રાહત અને કાયમી છુટકારો….

આજની ખાણીપીણીને જોતા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી એક છે, પેટમાં દુખાવો થવો. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેક પેટના દુખાવાની સમસ્યાનો સામનો કરે છે. પેટમાં દુખાવો થવા પાછળ સામાન્ય રીતે અનેક કારણો હોય છે. ખરાબ પાચન, પેટમાં ગેસ, અપચો, કબજિયાત, આંતરડામાં સોજો, પેટની માસ પેશીઓમાં સોજો વગેરે જેવી અનેક સમસ્યાઓ પેટના દુખાવાનું કારણ બની શકે છે.

પરંતુ શું તમે જાણો છો, ઘણીવાર પેટમાં દુખાવાની સમસ્યા પેટની નસોમાં દુખાવો અને સોજાના કારણે પણ થઈ શકે છે? જી હા, આ બિલકુલ સાચી વાત છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે નસોમાં દુખાવાની સમસ્યા કેમ થાય છે? અને તેનો શું ઈલાજ છે? આ વિષય પર વધુ જાણકારી માટે એક્સપર્ટ અને ન્યુરોલોજીસ્ટ તથા સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ સાથે વાત કરતા જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું.પેટની નસોમાં દુખાવો કેમ થાય છે?:- નસોમાં દુખાવાની સમસ્યાનું એક મોટું કારણ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે ન થવું છે. જ્યારે તમે નસોમાં લોહીનો પ્રવાહ કે સર્ક્યુલેશન સારી રીતે નથી થતું તો તેનાથી લોહી આગળ વધી નથી શકતું એક જગ્યાએ રોકાવા લાગે છે. ધીરે ધીરે આ જામવા લાગે છે અને તેના કારણે નસોમાં બ્લોકેજની સમસ્યા થાય છે. જ્યારે નસો બ્લોક થાય છે તો લોહી આગળ નથી વધી શકતું અને રોકાવા લાગે છે.

જ્યારે લોહીને આગળ નીકળવાનો રસ્તો નથી મળતો તો તેનાથી નસોમાં સોજો આવવા લાગે છે અને નસો ડેમેજ થવા લાગે છે. તેના કારણે માસ પેશીઓમાં પણ ગંભીર દુખાવો થાય છે. આ સમસ્યા શરીરના કોઈપણ અંગમાં જોવા મળે છે. આ સમસ્યા હાથ, પગ, માથું, ગળું, ગરદન, કરોડરજ્જુ, ખભા, કમર, પેટ ના સિવાય શરીરના કોઈપણ ભાગમાં જોવા મળી શકે છે.પેટની નસોમાં દુખાવાનો ઈલાજ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે નસો માં દુખાવાની સારવાર માટે ડોક્ટર સર્જીકલ અને નોન સર્જીકલ બંનેવ રીતોની મદદ લઈ શકે છે. જેમાં દવાઓ, સર્જરી અને ફિઝિયોથેરાપી સારવારને સામેલ કરી શકાય છે. જોકે દુખાવો ગંભીર ન હોય કે નસોમાં દુખાવાની માત્ર શરૂઆત થતી હોય તો ડોક્ટર તમને કેટલાક ઘરેલુ ઉપાયોનો સુઝાવ પણ આપી શકે છે. જેની મદદથી તમે પેટની નસોમાં દુખાવાથી સરળતાથી છૂટકારો મેળવી શકો છો.

પેટની નસોમાં દુખાવાના ઉપાય:-

1) શ્વાસ સંબંધી વ્યાયામ કરો:- શ્વાસ સંબંધિત વ્યાયામ જેમકે અનુલોમ-વિલોમ અને યોગનો અભ્યાસ કરીને લોહીમાં ઓક્સિજનના સ્તરને વધારો આપવામાં મદદ મળે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું બનવામાં મદદ મળે છે.2) આયર્ન વધારતા ખોરાકનું સેવન કરો:- આયર્ન લોહીમાં ઓક્સિજનના સ્તરને વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેનાથી હિમોગ્લોબિન ના સ્તરમાં વધારો અને લોહીના પ્રવાહમાં વધારો આપવામાં મદદ મળે છે. આ નસોમાં બ્લોકેજને ખોલવામાં પણ મદદરૂપ થાય છે. લીલા પાંદડા વાળા શાકભાજી, મોસમી ફળ વગેરે ડાયટમાં શામેલ કરવા.

3) દુખાવા વાળા ભાગ પર ગરમ શેક કરવો:- તમે પેટના જે ભાગ પર વધારે દુખાવાનો અનુભવ કરી રહ્યા હોવ તે ભાગ પર ગરમ બોટલ, બેગ કે તવાને ગરમ કરીને કોઈ સુતરાઉ કાપડની મદદ થી 10 થી 12 મિનિટ સુધી શેક કરી શકો છો.4) સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે ફાયદાકારક:- તમે એવી સિમ્પલ અને સરળ એક્સરસાઇઝ કરી શકો છો જેનાથી પેટની નસોમાં અને માસ પેશીઓને સ્ટ્રેચ કરવામાં મદદ મળે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધારવામાં અને સોજો ઓછો કરવામાં મદદ મળે છે. સાથે જ માસ પેશીઓમાં  સોજો પણ ઓછો થાય છે.

5) હળદર વાળું દૂધ પીવો:- બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે હળદર વાળું દૂધ એક શ્રેષ્ઠ ઉપાય છે. હળદર એન્ટી ઇમ્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જેનાથી આ સોજાથી લડવા અને દુખાવાથી છુટકારો મેળવવામાં અત્યંત અસરકારક છે. આ નસોની બ્લોકેજ ખોલવામાં પણ અત્યંત અસરકારક ઉપચાર છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment