ફક્ત આ 1 શાકભાજી વાત્ત, પિત્ત અને કફના રોગો અને ડાયાબિટીસ, કબજિયાત વગર દવાએ જીવનભર રહેશે ગાયબ…

મિત્રો લીલોતરી શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આવી જ એક લીલોતરી શાકભાજી એટલે પરવળ છે. જેમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ તે લોહી સાફ કરવાથી લઈને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રાખે છે. આ દિવસોમાં શાકમાર્કેટમાં પરવળ ખૂબ જ દેખાઈ રહ્યા છે. લીલા રંગના પરવળના ગુણોની વાત કરીએ તો, તે આયુર્વેદિક શાકભાજીની શ્રેણીમાં આવે છે.

સામાન્ય રીતે તેના ગુણો વિષે લોકો જાણતા નથી. તેમાં ઘણા વિટામીન્સ, મિનરલ્સ જોવા મળે છે જે તેને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી બનાવે છે. તેમાં વિટામિન એ, બી1,બી2, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ જેવા ઘણા તત્વો જોવા મળે છે. તેનો ઉપયોગ મૂત્ર સંબંધી સમસ્યાઓ અને ડાયાબિટીસના ઇલાજમાં મુખ્ય રૂપથી કરવામાં આવે છે. તે સિવાય તેને કબજિયાત, સ્કીન પ્રોબ્લેમ્સ, પાચન સંબંધિત પ્રોબ્લેમ્સ, એજિંગ, પીળિયા વગેરેના નિયંત્રણમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આવો જાણીએ કે પરવળના બીજા ક્યાં ફાયદઓ હોય છે. 1) બ્લડ પ્યુરિફાઇ કરે:- બ્લડ ને શુદ્ધ કરવામાં પરવળ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. બ્લડ પ્યુરિફાઇ કરવામાં તે ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. આયુર્વેદ મુજબ, તે આપણા શરીરના બ્લડને સાફ કરવામાં મદદ કરે છે અને સ્કીનની સારસંભાળ રાખે છે. જેનાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચાવ થાય છે. 

2) પાચનમાં સુધારો:- જો તમારું પાચન બરાબર ન થતું હોય તો તમે પરવળ નું સેવન કરી શકો છો. પરવળમાં ફાઈબર ભરપૂર હોય છે જે સરખી રીતે પાચન કરવા માટે ખૂબ જરૂરી છે. તે લિવરને પણ સમસ્યાઓથી દૂર રાખે છે. તેના રેગ્યુલર સેવનથી તમારું પાચનતંત્ર હંમેશા સરખી રીતે કાર્ય કરે છે. 3) એજિંગને નિયંત્રિત કરે છે:- પરવળ તમારા શરીરમાં એન્જીંગને નિયંત્રિત રાખે છે. પરવળમાં એન્ટિ ઓક્સિડેંટ, વિટામિન એ, અને સી રહેલા હોય છે જે ફ્રી રેડિકલ્સના અણુઓને નિયંત્રણમાં રાખે છે અને એજિંગની પ્રક્રિયા ઘટાડે છે. 

4) કબજિયાતને દૂર રાખે છે:- જો તમને કબજિયાત રહેતું હોય તો તમે પરવળ નું સેવન કરી શકો છો. જો તમારા ઇંડસ્ટાઇનમાં ઘણા દિવસો સુધી અપશિષ્ટ પદાર્થ રહી જાય તો તે ઘણી બીમારીઓનું કારણ બનવા લાગે છે. માટે કબજિયાતને હળવાશથી લેવી જોઈએ નહીં. જો તમે કબજિયાતથી જજૂમી રહ્યા હોય તો, પરવળના બીજ કબજિયાત દૂર કરવામાં સહાયક હોય છે. 5) બ્લડ શુગર નિયંત્રિત કરે છે:- બ્લડ શુગરને કાબુમાં લેવા માટે પરવળ ખુબ જ ગુણકારી છે. જોકે, બ્લડ શુગર એક લાઈફ સ્ટાઈલ અને વંશાનુગતથી જોડાયેલી બીમારી છે પરંતુ, ખાણી-પીણીમાં બદલાવ લાવીને તમે તેને કંટ્રોલમાં લાવી શકો છો. જ્યારે પણ તમે પરવળ બનાવો છો તો તેના બીજ ન ફેંકવા જોઈએ. પરવાલને તમારા ભોજનમાં રેગ્યુલર સમાવેષ્ટ કરવા જોઈએ. 

6) વજન ઘટાડવામાં:- પરવળમાં કેલોરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઈબર પણ ભરપૂર હોય છે. એવામાં તમે નિયમિત પરવળનું સેવન કરો તો તે તમારા વજનને વધારશે નહીં. તે તમારા પેટને ભરાયેલું રાખે છે જેનાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી. તે ફૂડ ક્રેવિંગ પણ ઘટાડે છે. 7) ઇમ્યુનિટી વધારે:- આયુર્વેદ મુજબ, પરવળ તમારી ઇમ્યુનિટીને વધારે છે. તે બદલાતી ઋતુમાં થતાં ફ્લૂ અને ઠંડીથી તમને દૂર રાખે છે. 

અનેક રોગોમાં પરવળ : પરવળ પાચક, હૃદયને હિતકારી, વીર્ય વધારનાર, હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ અને ગરમ છે. એ ઉધરસ, લોહીવિકાર, તાવ, ત્રિદોષ અને કૃમિને મટાડનાર છે. એ રકતપિત્ત, વાયુ, કફ, ઉધરસ, ખૂજલી, કુષ્ઠરોગ, રકતવિકાર, તાવ અને દાહને મટાડે છે. કૃમિ મટાડવામાં પણ પરવળ ખુબ જ કારગર માનવામાં આવે છે. પરવળનું શાક ખાવાથી પણ ખુબ જ લાભ મળે છે.

પરવળના અન્ય આયુર્વેદિક ઉપયોગ અને પ્રયોગની રીત:- 1 ) માથામાં દુખાવો થાય ત્યારે પરવળના મૂળને પીસીને માથામાં લાગાડવાથી દુખાવામાં રાહત મળે છે.
2 ) પરવળના પાંદડા ઘીમાં ફ્રાઈ કરીને ખાવાથી આંખોની સમસ્યા દૂર થાય છે.
3 )
સ્મોલ પોક્સના શરૂઆતી લક્ષણો દરમિયાન તેના મૂળ અને પાંદડાને મ્યૂલથી સાથે મિક્સ કરીને તેનો ઉકાળો પીવાથી રાહત મળે છે.
4 )
કોથમરી સાથે પરવળના પાંદડા અને મૂળને બરાબર માત્રામાં લો અને ઉકાળો બનાવો, તેનાથી તાવ ઉતરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment