ખાવા લાગો આ દેશી વસ્તુઓ શરીર થઈ જશે તંદુરસ્ત અને વધી જશે આયુષ્ય, કેન્સર જેવી ગંભીર બીમારીઓ આજીવન રહેશે દુર…

એક લાંબુ અને સ્વસ્થ જીવન જીવવાની દરેક વ્યક્તિ ઈચ્છા રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે કેવી રીતે વ્યક્તિ 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવી શકે છે. જો તમે એ જાણતા નથી તો વિશેષજ્ઞ આપણને તેમાં મદદ કરી શકે છે. આવો જાણીએ કે 100 વર્ષ સુધી સ્વસ્થ રહેવાની જાણકારી.

લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિને ઘણી બધી વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેમાંથી અમુક વાતો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અને તેમાં સૌપ્રથમ છે શારીરિક ગતિવિધિઓને પકડી રાખવી, અને બીજું છે યોગ્ય આહારની સાથે સારી જીવનશૈલીની પસંદગી કરવી. જો તમે તમારી થાળીમાં કંઈ ખોટા ખાદ્ય પદાર્થોને સામેલ કરો છો તો તેની અસર તમારા જીવન પર આજે તો થશે જ પરંતુ તેની સાથે જ ભવિષ્યમાં તમારા શરીરને તે પ્રભાવિત કરી શકે છે.

એવી પરિસ્થિતિમાં સ્વસ્થ જીવન જીવવા માટે જે ખાદ્યસામગ્રી આપણા માટે સૌથી મહત્વની છે, તેની યાદી તમને જાણીતા વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય અને પોષણ વિશેષજ્ઞ ડોક્ટર જણાવી રહ્યા છે. અત્યારે તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમને 100 વર્ષ સુધી જીવન જીવવા માટેની અમુક ખાદ્ય સામગ્રી વિશે જાણકારી આપી છે. આવો જાણીએ તે ખાદ્ય સામગ્રી વિશે.

આથાવાળો ખોરાક : એવા ઘણા બધા પ્રમાણ ઉપસ્થિત છે, જે જણાવે છે કે આથા વાળો ખોરાક આપણી મેટાબોલિઝમ અને આપણી પાચન ક્રિયા ઉપર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પાડે છે. તમને જણાવી દઈએ કે આથાવાળા ખોરાકની અંદર એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોબાયોટિક જોવા મળે છે જે આપણને સ્વસ્થ રાખે છે અને એક લાંબુ જીવન જીવવા માટે મદદ કરે છે.

દાડમ : દાડમની અંદર અલગ અલગ પ્રકારના વિટામિન જોવા મળે છે. અને તેની સાથે જ એક ખનિજ પદાર્થોનો એક ખૂબ જ સારા સ્ત્રોત માનવામાં આવે છે. તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે, લાંબુ જીવન જીવવામાં દાડમનું એક સારું યોગદાન હોય છે. તેની સાથે જ દાડમની અંદર એન્ટીવાયરલ અને એન્ટી ટ્યૂમર ગુણ જોવા મળે છે, જે આપણને લાંબુ જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

એટલું જ નહીં જનરલ મેનેજર મેડિસિનમાં પ્રકાશિત એક અધ્યયનથી જાણકારી મળી છે કે, દાડમમાં માઇટોકોન્ડરીયા નામનો એક અણું હોય છે જેના ખરાબ થઈ જવાથી સ્નાયુઓ કમજોર થવા લાગે છે. તેની સાથે જ એક અધ્યયનમાં બીજો ખુલાસો એ પણ થયો છે કે, માઇટોકોન્ડરીયાની નિષ્ક્રિયતાને કારણે બીજા ઘણા બધા રોગો ઉત્પન્ન થઈ શકે છે, જેમ કે પાર્કિન્સન્સનો રોગ. તેવી પરિસ્થિતિમાં કહી શકાય કે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે દાડમનું સેવન જરૂરથી કરવું જોઈએ.

બકરી કેફીર : આજે દુનિયામાં લગભગ થતા મૃત્યુમાં જે બિમારી સામેલ છે તેમાં કેન્સરનું નામ પણ આવે છે. તેવી પરિસ્થિતિમાં બકરીનું કેફિર ઉપયોગમાં લઈ શકાય છે. તમને જણાવી દઈએ કે તેમા પ્રોબાયોટિક્સ ઉપસ્થિત હોય છે જે આપણે રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરે છે અને કેન્સરની ગાંઠને વધતા રોકે છે.

આ વાત અત્યાર સુધી થયેલા ઘણા બધા ટેસ્ટ ટ્યુબના શોધમાં ત્યાં જનરલ ઓફ મેડિસિનલ ફૂડમાં પ્રકાશિત એક લેખથી જાણવા મળ્યું છે કે કેફિરમાં એવા ગુણ હોય છે જે બ્રેસ્ટ કેન્સરના જોખમને 56% સુધી ઓછું કરી શકે છે.

કાચુ મધ : તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે કાચું  મધ ન માત્ર હૃદયરોગના જોખમને ઓછું કરે છે, પરંતુ તે કેન્સરના જોખમને પણ ઓછું કરે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ હેલ્થમાં એક અધ્યયનમાં પ્રકાશિત થયું છે કે, કાચું મધ સ્તન કેન્સર, કોલોરેક્ટલ કેન્સર અને લિવરના કેન્સર અને શરીરમાં ફેલાવાથી રોકે છે. તે સિવાય આ અધ્યયનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મધ કેન્સરની કોશિકાઓને વિરુદ્ધ સાયટોટોક્ષિક પ્રભાવ રાખે છે. તેથી સાધારણ કોશિકા ઉપર તે નોન સાયટોટોક્ષિક હોય છે.

કાચા કેળા : તમે જાણીને આશ્ચર્ય થશે કે કાચા કેળાની અંદર એક પ્રકારનું પ્રીબાયોટિક ઉપસ્થિત હોય છે. જે આપણા પેટમાં સારા બેક્ટેરિયા માટે ભોજન પ્રદાન કરે છે અને તે આગળ જઈને આપણા લોહીના દબાણને ઓછું કરીને બીજા કાર્યોમાં આપણા શરીરની સહાયતા કરે છે. તે સિવાય ઘણા અધ્યયનમાં એ વાતનો ખુલાસો થયો છે કે, કાચા કેળાનું સેવન કરવાથી કિડનીનીના કેન્સરનું જોખમ લગભગ 50 ટકા સુધી ઓછું થઈ જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment