નાળિયેરના તેલ સાથે આ ચમત્કારિક દાણાને લગાવી દો તમારા વાળમાં, મફતમાં જ વાળ થઈ જશે ઘાટા, લાંબા અને એકદમ મજબુત…. જાણી લો લગાવવાની રીત….

આજનું અસંતુલિત ખાનપાન, તણાવ ભરી જીવન શૈલી, ભાગદોડ ભરેલી જિંદગી, કેમિકલ યુક્ત પ્રોડક્ટોનો ઉપયોગના કારણે અનેક લોકો વાળથી જોડાયેલી સમસ્યાથી પરેશાન રહે છે. નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા અને વાળ ખરવાની સમસ્યાનો શિકાર લોકો ઝડપથી થવા લાગ્યા છે. વાળની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અને વાળને જાડા તથા મજબૂત બનાવવા માટે દેખભાળ કરવી જરૂરી છે.

વાળને જાડા અને મજબૂત બનાવી રાખવા તથા ખરતા બચાવવા માટે નાળિયેર તેલ અને મેથીના દાણા નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલ વાળની અનેક સમસ્યાઓ માટે રામબાણ માનવામાં આવે છે. તેના સિવાય મેથીના દાણામાં હાજર પોટેશિયમ, નિકોટીનિક એસિડ વાળને પોષણ આપવાનું કામ કરે છે અને મજબૂત બનાવે છે. નાળિયેર તેલ અને મેથી વાળની અનેક સમસ્યામાં ફાયદાકારક છે તો વાંચો સંપૂર્ણ લેખ આ બે વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો.વાળ માટે નાળિયેર તેલ અને મેથીના દાણા ના ફાયદા:- વાળની ગ્રોથ વધારવા માટે અને જાડા તથા મજબૂત બનાવવા માટે નાળિયેર તેલની સાથે મેથીના દાણાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. મેથી અને નાળિયેર તેલમાં હાજર ગુણ વાળને પોષણ આપે છે અને વાળની સાથે સાથે સ્કેલ્પની પણ સમસ્યાઓથી મુક્ત રાખવામાં મદદ કરે છે. વાળમાં નાળિયેર તેલ અને મેથીના દાણા નો ઉપયોગ કરવાથી આ ફાયદા થાય છે.

1) વાળને મજબૂત બનાવે:- વાળને મજબૂત બનાવવા માટે નાળિયેર તેલની સાથે મેથીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નાળિયેર તેલ અને મેથીમાં હાજર ગુણ વાળને જડથી મજબૂત બનાવવાનું કામ કરે છે. તમે અઠવાડિયામાં બે વાર વાળમાં નાળિયેર તેલ અને મેથીના બીજ નો ઉપયોગ કરો, તેનાથી તમને ફાયદો થશે.2) વાળને કાળા રાખવામાં ફાયદાકારક:- આજના સમયમાં ઓછી ઉંમરમાં જ વાળ સફેદ થવાની સમસ્યા બહુ જ સામાન્ય બની ગઈ છે. વાળ કાળા રાખવા માટે નાળિયેર તેલ અને મેથીના દાણાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. વાળ અને સ્કેલ્પની નાળિયેર તેલ અને મેથી થી બનેલા તેલથી માલિશ કરવાથી તમને ખૂબ જ ફાયદો થશે.

3) ખરતા વાળ અટકાવે:- ખરતા વાળની સમસ્યાને રોકવા માટે નાળિયેર તેલ અને મેથીનો એક સાથે ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલ અને મેથીમાં હાજર વિટામિન્સ અને અન્ય પોષક તત્વો વાળને ખરતા અટકાવે છે. અને તેને જાડા અને મજબૂત બનાવે છે. વાળના મૂળ માં તેની માલિશ કરવાથી તમને હેર ફોલ થવામાં ઘટાડો જોવા મળશે.4) ખોડા ની સમસ્યાથી મુક્તિ:- ડેન્ડ્રફની સમસ્યામાં નાળિયેર તેલની સાથે મેથીના દાણાનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. મેથીના દાણામાં હાજર ગુણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે નાળિયેર તેલ અને મેથીના દાણા ના તેલ ને સારી રીતે વાળમાં લગાવો. આવું થોડા દિવસ સુધી કરવાથી ખોડા માં ફાયદો થશે.

કેવી રીતે કરવો ઉપયોગ:- નાળિયેર તેલની સાથે મેથીના દાણાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા નાળિયેર તેલને સારી રીતે ગરમ કરી લો. ત્યારબાદ તેમાં મેથીના દાણા નાખો અને ગરમ કરો. મેથીના દાણાનો રંગ લાલ થઈ જાય એટલે નીચે ઉતારી લો. અને તેલ ઠંડુ થાય એટલે તેને ગાળીને સ્ટોર કરી લો. આ તેલથી વાળ અને સ્કેલ્પની મસાજ કરવાથી ખૂબ જ ફાયદો થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment