રસોડામાં રહેલી આ ત્રણ સસ્તી વસ્તુનું મિશ્રણ શરીર માટે છે એકદમ ચમત્કારિક, સાંધા, સોજાના દુખાવા સહિત હૃદય અને પાચનની સમસ્યાઓ રાખશે દુર…

મિત્રો હળદર એ ખુબ જ ગુણકારી ઔષધી માનવામાં આવે છે. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. તેમજ આ હળદરમાં તમે ઘી, મરીને પણ મિક્સ કરીને સેવન કરી શકો છો. તમને વિશ્વાસ થાય કે નહીં પરંતુ તમારા રસોડામાં ઘણી કામની વસ્તુઓ રહેલી છે, જે તમારી ઘણી સ્વાસ્થ્યની સમસ્યાઓથી લડવા માટેના ઉપચારની રીતે કામ આવી શકે છે. મોટા ભાગના લોકો બીમાર થાય ત્યારે તેમની દાદી અને નાનીના અમુક નુસ્ખા વિશે સાંભળ્યુ હશે અને તેનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ ધીરે ધીરે તે ઘરેલુ નુસ્ખા ઓછા થતા ગયા અને લોકો દરેક નાની બીમારી માટે બજારમાં ઉપલબ્ધ દવાઓ પર નિર્ભર રહેવા લાગ્યા. તેવામાં અમે તમને જણાવી દઈએ કે, તમારા રસોડામાં એવી અદ્બુત વસ્તુઓ છે, જેના એક નહીં અનેક ફાયદાઓ છે.

તમારા રસોડામાં રહેલ ઘી, હળદર અને મરી એવી ત્રણ વસ્તુઓ છે, જે એકલા ખૂબ સારી છે. પરંતુ તેમનું મિશ્રણ અદ્ભુત છે. આ પણ દાદીમાના નુસ્ખા માંથી જ એક છે, જે તમને સ્વસ્થ અને સક્રિય રહેવા માટે સ્વાસ્થ્યની સમસ્યાઓ જેવી કે પાચન, અથવા પેટ ફૂલવાની સમસ્યા અને બ્લોટિંગ વગેરેમાં મદદ કરે છે. આ વસ્તુઓ તમારા રોજીંદા જીવનમાં થતી અનેક નાની મોટી સમસ્યાના ઈલાજ માટે ઉપયોગી છે.

પાચનને વધારો : પેટમાં ગડબડી અને ખરાબ પાચનના ચાલતા તમારે ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે મોટાભાગની બીમારીઓની શરૂઆત પાચનથી શરૂ થાય છે. આંતરડામાં ગડબડી તમારા આખા સ્વાસ્થ્ય અને તમારા દૈનિક કાર્યોને અસરકારક કરે છે અને તે જ અપચાનું કારણ પણ બની શકે છે. તેવામાં હળદર, ઘી અને મરી આ ત્રણેયનું મિશ્રણ તમારા પાચનમાં સુધારો લાવવામાં મદદ કરે છે. ઔષધિય ગુણોથી ભરપુર હળદરમાં એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે તો ઘીમાં સ્વસ્થ ફૈટી એસિડ હોય છે અને મરીમાં ડિટોક્સિફાઈડ ગુણ હોય છે. આ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢીને પેટના સ્વાસ્થ્યને સારું કરે છે.

શરીરના સોજા : જો તમારા શરીરમાં સોજા ચડી ગયા હોય તો તેના ઈલાજ માટે તમે હળદર, ઘી અને મરીનું મિશ્રણ લઈ શકો છો. ઘણી વખત શરીરમાં સોજો અથવા શરીરના કોઈ એક અંગમાં સોજો આવી જતો હોય છે, આ સોજાને નજરઅંદાજ ન કરવો. કારણ કે ક્રોનીક સોજાના ઘણા કારણો હોય શકે છે. જેમાં, ડાયાબિટીસ, લીવર, કિડનીની સમસ્યા, હૃદયઘાત, કેન્સરની સાથે સાથે હાડકાંના સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ જેવી કે ઘૂંટણમાં દુખાવાથી સંબંધિત હોય શકે છે. આ સોજાને દૂર કરવા માટે તમે હળદર, ઘી અને મરીના મિશ્રણનું સેવન કરી શકો છો.

હૃદયના સ્વાસ્થ્ય માટે : હળદર, ઘી અને મરી આ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ શરીરમાં એંજિયોજેનેસિસને વધારો આપે છે, જે એક એવી પ્રક્રિયા છે જેનાથી શરીરને નવી રક્તવાહિનીઓ ઉત્પન્ન કરવાની અનુમતિ મળે છે. તે બ્લડ સર્ક્યુલેશનને વધારીને હૃદયના સ્વાસ્થ્યને વધારો દેવામાં મદદગાર છે.

મસ્તિષ્ક માટે : આ ત્રણેય વસ્તુઓના મિશ્રણથી તમારા મસ્તિષ્કના સ્વાસ્થ્યને પણ વધારો આપવામાં મદદ મળે છે. મરી અને ઘી હળદરમાં રહેલા કરક્યુમીનને જલ્દી અવશોષણ કરવામાં મદદ કરે છે અને યાદશક્તિ તેમજ માનસિક વિકારના જોખમને ઘટાડે છે.

ડીએનએ ને થતાં નુકશાન : પ્રદૂષણ, દવા, યુવી કિરણો તેમજ અન્ય કારણોથી ડીએનએને નુકશાન થાય છે. આ ત્રણેય વસ્તુઓ તમારા ડીએનએ ને નુકશાનથી બચાવે છે.

સેવનની રીત : આ મિશ્રણનો લાભ મેળવવાની સૌથી સરળ રીત છે કે તમે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. જો કે તમે દિવસમાં કોઈ પણ સમયે સેવન કરી શકો છો. તે તમારી પાચન ક્ષમતાને વધારશે અને બ્લડ શુગરને પણ નિયંત્રિત રાખવામા મદદ મળી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment