મંદીરમાં ક્યારેય ના રાખો આ 6 મૂર્તિ, જે તમને કરશે બરબાદ…. છીનવી લેશે સુખ-શાંતિ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 મિત્રો આજે અમે જણાવશું તે મૂર્તિ વિશે જે તમને કરી શકે છે બરબાદ 💁

ઘરનું મંદિર ઘરનું તે સ્થાન હોય જ્યાં બેસીને વ્યક્તિના મનને શાંતિ તો મળે જ છે સાથે સાથે જીવનમાં આવનારા સંકટોનો સામનો કરવા માટે હિંમત પણ મળે છે અને કહેવાય છે કે મંદિર સાચી દિશા ક્ષેત્રમાં હોવું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઇશાન ખૂણામાં મંદિરને સ્થાપિત કરવું જોઈએ મંદિરની સાથે સાથે મંદિરમાં રાખવામાં આવેલી પ્રતિમા અને મૂર્તિઓ અને ફોટોનો પણ તમારા જીવન સાથે ખુબ જ ઊંડો સંબંધ હોય છે, આજે માં આજે અમે જણાવશું કે કંઈ પ્રકારની મૂર્તિ તમને કરી શકે છે બરબાદ.1 સૌથી પહેલા મહાલક્ષ્મીની મૂર્તિ. મહાલક્ષ્મીની મૂર્તિને અથવા ફોટાને મંદિરમાં સ્થાપિત કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે માતા લક્ષ્મી બિરાજમાન સ્વરૂપમાં જ હોય. માતા લક્ષ્મીની મૂર્તિ ઉભા હોય તેવી પોઝીશનમાં હોય તો લક્ષ્મીજી ક્યારેય પણ ઘરમાં નથી ટકતા. સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ બેઠા હોય તેવી મુદ્રામાં હોય તેવી જ મૂર્તિ રાખવી જોઈએ.

2 બીજી મૂર્તિ છે માતા દુર્ગાની મૂર્તિ. માં દુર્ગા સાક્ષાત શક્તિ સ્વરૂપ છે. માં દુર્ગાએ ઘણા બધા રાક્ષસોનો અંત કર્યો હતો એટલા માટે તેના સંહારક સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ મિત્રો ધ્યાન રાખવાનું છે કે મંદિરમાં ક્યારેય પણ વિધવંશ કારી સ્વરૂપવાળી મૂર્તિ ન રાખવી જોઈએ. નહી તો ઘરમાં સદા માટે લડાઈને ઝગડા ચાલુ રહે છે.૩ નટરાજની મૂર્તિ. નટરાજની મૂર્તિ ભગવાન શિવજીની તાંડવ મૂર્તિ છે. ભોલેનાથ જ્યારે જ્યારે ક્રોધિત થાય છે ત્યારે ત્યારે તાંડવ કરે છે. ઘરમાં નટરાજની મૂર્તિ રાખવાથી ઘરના લોકોમાં પણ ક્રોધ અને આવેશની ભાવના વધે છે. જો તમે પણ ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છો છો તો ઘરમાં નટરાજની મૂર્તિ ન રાખવી.

4 ભૈરવનાથની મૂર્તિ. ભૈરવનાથ પણ ભગવાન શિવજીનું જ સ્વરૂપ છે. જેની સવારી છે કુતરો. ભૈરવનાથજીની પૂજા સાધારણ વિધિથી નથી થતી. ભૈરવનાથને પ્રસન્ન કરવા માટે સ્મશાનની રાખ અને તંત્રમંત્રની આવશ્યકતા હોય છે. અને ઘરના મંદિરમાં તેની પૂજા ન કરવી જોઈએ અને ન તો તેની મૂર્તિ પણ ઘરના મંદિરમાં રાખવી જોઈએ.5 શનિદેવની મૂર્તિ. શનિદેવની મૂર્તિ ક્યારેય પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. શનિદેવની પૂજા હંમેશા શનિ મંદિરમાં જઈને જ કરાવી જોઈએ. કેમ કે શનિદેવની પૂજા કરતા સમયે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. જે ઘરમાં સંભવ નથી હોતું. અને શનિ દેવની મૂર્તિ પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ.6 એક જ દેવતાની બે મૂર્તિ. ઘરના મંદિરમાં એક જ દેવતાની બે મૂર્તિ ન હોવી જોઈએ. એવું થવાથી સંબંધોમાં તણાવ અને ટ્રેસ વધે છે. જો તમારા ઘરમાં પણ એક જ દેવતાની બે મૂર્તિ હોય તેને નજીક નજીક ની જગ્યાએ સામસામે રાખી દો.

તો મિત્રો આ હતી ઘરના મંદિર સાથે જોડાયેલી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલી વાતો. મિત્રો મંદિરની મૂર્તિ ન તો ખંડિત હોવી જોઈએ ન તો ભયાનક. ભગવાનની મૂર્તિ હંમેશા આશીર્વાદ દેતા હોય અને હંસતા હોય તેવી હોવી જોઈએ. અમને આશા છે કે આ જાણકારી દ્વારા તમારા જીવનની થોડી સમસ્યા ઓછી થશે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ   (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment