ભગવાન શ્રી રામે જણાવ્યું છે કે આ ચાર સ્ત્રીનું ક્યારેય ન કરો અપમાન… બની શકે છે તમારા મોતનું કારણ…..

મિત્રો હિંદુધર્મમાં સ્ત્રીઓને દેવીનો દરજ્જો મળેલો છે. નવરાત્રીમાં કન્યાઓને ભોજન કરાવીને સ્ત્રીઓની પૂજા કરીએ છીએ તો તંત્ર સાધનાઓમાં પણ કુમારી પૂજન, ભૈરવી પૂજન વગેરેમાં સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે અને પ્રકૃતિએ પણ બાળકને જન્મ આપવાનો અધિકાર સ્ત્રીને જ  આપેલો છે.

મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓના અપમાન વિશે જણાવવામાં આવ્યું છે. આપણા પ્રાચીન શાસ્ત્ર શ્રી રામચરિત માનસમાં એક આખ્યાનમાં સ્ત્રીઓના અપમાનથી ક્યાં અશુભ ફળનો સામનો કરવો પડે છે તેનો ઉલ્લેખ થયેલો છે. સામાન્ય રીતે તો જીવનમાં ક્યારેય કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. શ્રી રામચરિત માનસના એક આખ્યાનમાં એવી ચાર સ્ત્રીઓ વિશે જણાવ્યું છે કે જેનું અપમાન કરવાથી કે તેના પર અત્યાચાર કરવાથી વ્યક્તિ દુઃખ અને દરિદ્રતા તરફ ધકેલાતો જાય છે.

તો આજના આ લેખમાં અમે એ ચાર સ્ત્રીઓ વિશે જણાવશું જેનું અપમાન ખુબ અશુભ ફળદાયી સાબિત થાય છે.

મિત્રો સૌથી પહેલી સ્ત્રી છે ઘરની વહુ. મિત્રો આપણા હિંદુધર્મમાં ઘરની વહુને સ્વયં માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કારણ કે એક વહુનો ત્યાગ સર્વોપરી છે. જે પોતાનું ઘર છોડીને એક બીજા ઘરને સજાવવા માટે જાય છે માટે જે ઘરમાં કોઈ સ્ત્રી કે પુરુષ પોતાની વહુનું અપમાન કરે અથવા તેના પર વાસના ભરી નજરો રાખે તો તેના જીવનમાં હંમેશા દુઃખો આવતા રહે છે અને તે દરિદ્રતાને પણ આકર્ષિત કરે છે. માટે ક્યારેય ઘરની વહુનું અપમાન ન કરવું તેમજ અત્યાચાર તો ક્યારેય ન કરવો. જો તમને વહુની કોઈ વાત યોગ્ય ન લાગતી હોય તો તો તેને સમજાવીને શાંતિથી તેનું નિવારણ લાવવું જોઈએ.

બીજી સ્ત્રી છે ભાભી. મોટા ભાઈની પત્ની એટલે કે ભાભીને શાસ્ત્રોમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી જ તો તમે  રામાયણમાં લક્ષ્મણને સીતાજીને માતા કહેતા સાંભળ્યા હશે. તો તેવી જ રીતે નાના ભાઈની પત્ની દીકરી સમાન ગણાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મોટા ભાઈ કે નાના ભાઈની પત્ની સાથે દુરાચાર કે દુરવ્યવહાર કરે છે અથવા તો તેના પ્રત્યે મનમાં દુષિત ભાવ રાખે છે તો તેનું જીવનમાં પતન નિશ્ચિત છે. તેના જીવનમાં ખુબ જ ઝડપથી દુઃખ અને દરિદ્રતા આવે છે અને તે જીવનમાં ક્યારેય તેમાંથી બહાર નથી નીકળી શકતો.

ત્રીજી સ્ત્રી છે બહેન. તો મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં બહેનને પણ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માટે એક પુરુષે પોતાની બહેનને હંમેશા એક માતા સમાન આદર સત્કાર આપવો જોઈએ. ક્યારેય પણ પોતાની બહેનનો અનાદર કે અત્યાચાર ન કરવો જોઈએ. પરંતુ ઘરમાં સૌથી વધારે ઝગડો તો એક ભાઈ અને બહેન વચ્ચે જ થાય છે તો તેના માટે તમને જણાવી દઈએ કે મજાક મસ્તીમાં થતી લડાઈ તેમજ બહેસને સીમિત રાખવી જોઈએ અને ઝગડો કે બહેસ વધી જાય તો અંતે બહેનની માફી માંગી લેવી જોઈએ અને એક પુરુષે પોતાના મનમાં બહેન માટે પોતાની માતા જેટલું જ સમ્માન રાખવું જોઈએ.

ચોથું છે એ સ્ત્રી નથી પરંતુ દીકરી છે. આપણા દેશમાં આજે પણ અમુક લોકો દીકરીનો જન્મ થતા તેને મારી નાખતા અથવા મરવા માટે રસ્તા પર છોડી દેતા હતા. રસ્તા પર તો હજુ ઘણા લોકો છોડી દેતા હોય છે, પરંતુ અત્યારના ઓવર સ્માર્ટ લોકો તો દીકરીને જન્મતા પહેલા કોખમાં જ મારી નાખે છે. તો તમને જણાવી દઈએ કે તે ઘોર પાપ છે અને આ પાપ કરનાર લોકોએ નર્કની આગમાં સળગવું પડે છે. ઘરની દીકરી સાથે ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ. તેમજ ક્યારેય તેનું અપમાન ન કરવું જોઈએ અને ક્યારેય તેના પર વાસનાની દ્રષ્ટિ ન રાખવી જોઈએ. આવું કરનાર વ્યક્તિના નસીબથી લક્ષ્મી દુર ભાગી જાય છે. દીકરી ભલે પોતાની હોય કે ભાઈ બહેન કે કોઈ અન્ય વ્યક્તિની હોય ક્યારેય દીકરી સાથે અપમાન ન કરવું જોઈએ.

દીકરીની ભલાઈ માટે દીકરીને ખીજાવું તેમજ તેના પર ગુસ્સો કરવો તે વાત અલગ છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારની વાત કરવા માટે દીકરીઓ સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર કરવો જોઈએ. તેની વાતો ધ્યાનથી સાંભળવી અને સમજવી જોઈએ.

તો મિત્રો આ બધી વાતને ધ્યાનમાં રાખી આ ચાર સ્ત્રીઓ સાથે હંમેશા સારો વ્યવહાર કરવો અને કોઈ વાત યોગ્ય ન લાગે તો તેની સાથે પ્રેમપૂર્વક ચર્ચા કરવી. આ વાતનું પાલન કરવાથી જીવનમાં સુખ શાંતિ આવશે અને ધીમે ધીમે ધનમાં પણ વૃદ્ધિ થવા લાગશે.. વાત સાચી લાગે તો કોમેન્ટ કરજો “જય શ્રી રામ”

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ  

1 thought on “ભગવાન શ્રી રામે જણાવ્યું છે કે આ ચાર સ્ત્રીનું ક્યારેય ન કરો અપમાન… બની શકે છે તમારા મોતનું કારણ…..”

Leave a Comment