મિત્રો દરેક લોકો પોતાની એક બચત કરતા હોય છે. પણ સાથે તેને પોતાની બચત પર ટેક્સ લાગવાનો પણ ભય હોય છે. પણ જો તમે સાચે જ 1 કરોડ રૂપિયા ભેગા કરવા માંગતા હો તો તમારે કેટલીક સરકારી એવી યોજનાઓ છે જેમાં તમારે રોકાણ કરવું જોઈએ. આ યોજનાઓ એવી છે જે સરકારી છે. તેમજ તેમાં તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી અથવા તો ઓછો ભરવો પડે છે. આજે અમે તમને આવી જ કેટલીક સરકારી બચત યોજનાઓ વિશે જણાવીશું. જેમાં તમારું રોકાણ સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવે છે.
પબ્લિક પ્રોવિડંડ ફંડ આખો ડેટ ફંડ છે. તેને કેન્દ્ર સરકારે એવા લોકો માટે શરૂ કર્યો હતો જેઓ સુરક્ષિત રોકાણની સાથે ગેરેંટેડ સારું રિટર્ન ઇચ્છતા હોય. માટે તમે પીપીએફમાં પૈસા લગાડીને 1 કરોડ રુપિયાનું ફંડ તૈયાર કરી શકો છો. પીપીએફમાં તમે 500 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. તેમાં દર મહિને 12,500 અને વર્ષના 1.5 લાખ રૂપિયા સુધી જમા કરવાની લિમિટ હોય છે.કોઈ પણ સરકારી બેન્ક, પોસ્ટ ઓફિસ અને પ્રાઈવેટ બેંકમાં ખોલી શકાય છે. પીપીએફમાં તમે એફડી સહિત અન્ય નાની બચત યોજનાઓની સરખામણીએ સારું રિટર્ન મળે છે. પીપીએફમાં જમા રકમ પર તમને 7.1 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળે છે. દર વર્ષે માર્ચ મહિનામાં વ્યાજનું પેમેન્ટ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, તમે તમારા નામ પર અથવા કોઈ નાબાલિક કે અભિભાવક રૂપમાં પીપીએફ અકાઉન્ટ ખોલાવી શકો છો.
1) કઈ રીતે તૈયાર થાય છે 1 કરોડ રુપિયાનું ફંડ?:- જો આપણે આ સ્કીમથી એક કરોડ રુપિયાનું ફંડ તૈયાર કરવું હોય તો, આપણે તેમાં 25 વર્ષ સુધી રોકાણ કરવાનું થશે. ત્યાં સુધી 1.5 લાખ રૂપિયા વર્ષના જમા કરવાના હિસાબથી તમે 37,50,000 રૂપિયા જમા કરી ચૂક્યા હશો. તેના પર વાર્ષિક 7.1 ટકાના દરે 65,58,012 રુપિયાનું વ્યાજ થશે. તેમજ મેચ્યોરિટી અમાઉન્ટ ત્યાં સુધી 1,03,08,012 રૂપિયા થઈ ચૂકી હશે. જણાવી દઈએ કે, પીપીએફ ખાતાની મેચ્યોરિટી 15 વર્ષની હોય છે. 15 વર્ષ પછી જો આ ખાતાને આગળ વધારવું હોય તો, પાંચ પાંચ વર્ષના હિસાબથી આ ખાતાને આગળના વર્ષ માટે વધારી શકાય છે.2) ટેક્સ છૂટનો લાભ:- પીપીએફ કેન્દ્ર સરકારની બચત યોજના છે. આજ કારણ છે કે, તેમાં સારું રિટર્નની સાથે સાથે ઓછા જોખમની ગેરેન્ટી મળે છે. સાથે જ પીપીએફ ખાતાધારકને આયકર અધિનિયમની ધારા 80સી મુજબ, ટેક્સમાં છૂટનો પણ લાભ મળે છે. તમને જણાવી દઈએ કે, પીપીએફના રિટર્નથી થતી આવક કર મુક્ત હોય છે.
3) પીપીએફના અન્ય લાભ:- પીપીએફ ખાતાથી તમને આપાતકાલીન સ્થિતિમાં સસ્તી લોન પણ મળે છે. પીપીએફ લોન નિયમ મુજબ, ખાતા ખોલવાના 3-6 વર્ષની વચ્ચે તમે અકાઉન્ટ પર લોન લઈ શકો છો. પીપીએફ લોનનું વ્યાજ દર માત્ર 1 ટકા હોય છે. ટે સિવાય તમે તેનાથી આંશિક નિકાસી પણ કરી શકો છો. પીપીએફ ખાતું ખોલાયા પછી છઠ્ઠા વિતીય વર્ષમાં તમે તેનાથી નિકાસી કરી શકો છો.જોકે, તમે ખાતા માંથી માત્ર 50 ટકા રકમ જ ઉપાડી શકો છો. બાકીની રકમ તમારા ખાતામાં જ રહે છે. આમ પીપીએફ એકાઉન્ટ તમારા બચત માટેની તમાર રોકાણ માટેની સારી એવી યોજના છે. જેમાં તમને સરકાર તરફથી જ સુરક્ષા મળે છે. કોઈપણ પ્રકારનું જોખમ નથી રહેતું. તેમજ તેના અન્ય લાભો, જેવા કે લોન, વ્યાજ પણ મળે છે. બાળકો માટે સેવીન્ગનો આ સારો વિકલ્પ છે. જેનો લાભ બાળકો વયસ્ક થતા મેળવી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી