બનાવો આ નવી આદતો એક મહિના માટે..  તમે ફીટ બનતા કોઈ અટકાવી નહિ શકે… 

મિત્રો આજની વ્યસ્ત લાઈફમાં દરેક લોકો પોતાને ફીટ રાખવા માટે નવા નવા અખતરાઓ કરતાં હોય છે. પરંતુ અનેક ઉપાયો કરવા છતાં પણ,આપણે ફીટ નથી રહી શકતા. તેની પાછળ ઘણા કારણો હોય શકે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે માત્ર એક મહિના માટે આ ઉપાયો કરશો તો ચોક્કસપણે પોતાને ફીટ રાખી શકશો.

આજના સમયે આપણી જીવનશૈલી અને ખોરાકને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો, હવે પોતાને ફીટ રાખવું ખુબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ વ્યસ્ત શિડયુલને કારણે, ઘણા લોકો પોતાની જાત પર ધ્યાન આપી શકતા નથી. ખોટી પદ્ધતિનું સેવન કરવાથી લોકોના આરોગ્ય પર અસર પડે છે. જેના કારણે લોકો અનેક રોગોનો શિકાર બને છે. પરંતુ જો તમે માટે એક મહિના દરમિયાન લેખમાં જણાવેલ રૂટિનનું પાલન કરો છો, તો પછી તમે માત્ર સ્વસ્થ જ નહીં, પરંતુ તમારી કેટલીક આદતોમાં પણ પરિવર્તન લાવી શકશો.પ્રથમ દિવસે તમારે એટલું જ કરવાનું કે તમારે પોતાના ખોરાકને ચાવવામાં થોડું વધારે ધ્યાન આપવાનું છે. જ્યારે પણ જમવા બેસો ત્યારે ખોરાકને 30 વાર ચાવવો જોઈએ અને ત્યાર બાદ ગળાની ઉતારવું જોઈએ.  આ પદ્ધતિ તમારા ખોરાકને સરળતાથી પાચન કરશે.

બીજા દિવસમાં તમારે સમયસર ડિનર ખાવાનો પ્રયત્ન કરવો. જો શક્ય હોય તો, 7 થી 8 વાગ્યાની વચ્ચે જ ડિનર લઈ લેવું જોઈએ.
ત્રીસ દિવસે પોતાના ખોરાકમાં વધુને વધુ શાકભાજીનો સમાવેશ કરો. શાકભાજીમાં રહેલા વિટામિન અને ખનિજો તમને સ્વસ્થ રાખશે.
ચોથા દિવસમાં બહાર બજારમાં મળતા ખોરાકને ખાવાના બદલે ઘરે બનેલા ભોજનનું જ સેવન કરવું. તેનાથી કોઈ પણ પેટની સમસ્યા નહિ થાય.પાંચ દિવસમાં તમારે તમારી બેસવાની મુદ્રામાં ધ્યાન આપવાનું છે. તમે ખોટી રીતે તો બેસતા નથી ને ! કારણ કે આવી સ્થિતિમાં તમારી કરોડરજ્જુમાં દુઃખાવો થઈ શકે છે.
છઠ્ઠા દિવસે યાદ રાખો કે પરેશાન થવું એ સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. તેથી હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરવો.

સાતમાં દિવસે તમારે ઓફિસમાં અથવા બહાર લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે સીડીનો ઉપયોગ જ કરવો. આ કરવાથી તમે ફીટ રહેશો, તેમજ તે તમારા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
આઠમા દિવસે દરરોજ લગભગ 30 મિનિટ તો ચાલો જ. જો તમારી જોબ ખુરશી પર બેસીને કામ કરવાની છે તો ચાલવાનું અવશ્ય રાખો જ.
નવમા દિવસથી તમારે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ કરવી. આ આદત તમને તાજગીનો અનુભવ કરાવશે.દસમાં દિવસે જ્યારે પણ કસરત કરો ત્યારે સ્ટ્રેચિંગ કરો. કેમ કે શરીરને ખેંચાણથી આપણા મન અને તન બંનેને રાહત મળે છે.
અગિયારમાં દિવસે શક્ય હોય ત્યાં સુધી થોડું ઓછા મીઠાવાળી વસ્તુ ખાવી. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો મીઠાથી બને એટલી દુરી બનાવી રાખવી જોઈએ.
બારમાં દિવસમાં રિફાઇન્ડ કરેલી ખાંડ પણ ન ખાવ. કારણ કે તેનાથી તમને ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
તેરમાં દિવસે દરરોજ ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવો. પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે.
ચૌદમાં દિવસથી તમારા શરીરને જે પ્રકારના ખોરાકની જરૂર હોય એ ખોરાક આપવાનો પ્રયત્ન કરો. પરંતુ તેની સાથે પૌષ્ટિક ખોરાક લેવાનું ભૂલશો નહીં.
પંદરમાં દિવસથી દરરોજ 6 વખત ખાવાનું રાખવું. પરંતુ યાદ રાખો કે અલગ અલગ સમયે થોડું થોડું ખાવાનું છે. તેની સાથે તમે ઓવરરાઇટિંગનો ભોગ નહી બનો અને તમારું વજન નિયંત્રણ રહેશે.

સોળમા દિવસમાં એવી વસ્તુનું સેવન કરો જે તમારા સ્વાસ્થયમાં લાભ આપે. વજનને ઓછો કરે એવી કોઈ પણ પ્રકારની દવા ન ખાવી.
સત્તરમા દિવસ તમે તમારું વજન વારંવાર ચેક ન કરો. આમ કરવાથી ટેન્શન થશે. આથી એ વસ્તુઓને અપનાવો જે તમને આરોગ્ય માટે લાભો પૂરા પાડે છે.
અઢારમાં દિવસથી પોતાને કોઈથી ઓછા ન માનો. તેના બદલે પોતાનામાં વિશ્વાસ રાખો. જે તમારા મન અને તન બંનેને સ્ટ્રોંગ બનાવશે.
ઓગણીસમાં દિવસે તમારા આહારમાં સંતૃપ્ત ચરબી વાળો ખોરાકનો સમાવેશ કરવો નહી, કારણ કે આમ કરવાથી તમારા શરીરને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
વીસમાં દિવસમાં બને ત્યાં સુધી ચા અને કોફીને ટાળો અને હર્બલ ટીનું સેવન કરો. હર્બલ ટી તમારા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થશે.
એકવીસમાં દિવસે તમારા ઘરમાં જ હર્બલ પ્લાન્ટ રાખો. આ તમને સકારાત્મકતા આપશે.બાવીસમાં દિવસથી પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાનું ટાળો. કારણ કે આવી વસ્તુઓનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

તેવીસમાં દિવસમાં હંમેશાં તડકામાં જાઓ તે પહેલા સનસ્ક્રીન લગાવો. આ તમારા ચહેરાને સૂર્યના કિરણોથી સુરક્ષિત કરશે.

ચોવીસમાં દિવસથી ઠંડા પાણીથી સ્નાન કરો. કારણ કે તે તમને શાંતિ આપે છે અને તમે તાજગી અનુભવી શકશો.

પચીસમાં દિવસથી સવારના નાસ્તામાં ગ્રેનોલાનું સેવન કરો. કારણ કે તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે. જે તમને ઓવરરાઇટિંગથી બચાવે છે.

છવ્વીસમાં દિવસે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખોરાક લો. આવું કરવાથી તમને થોડા સમય પછી ભૂખ લાગશે નહીં અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

સત્યાવીસમાં દિવસમાં જ્યારે તમે ભૂખ્યા હોવ, ભૂલથી પણ ખરીદી કરવા જવું નહીં, તેનાથી તમે નબળાઈ અનુભવી શકો. જેના કારણે તમારી પાસે એનર્જી કમી રહેશે.અઠ્ઠાવીસમાં દિવસથી તમારા આહારમાં વધુ કેલરી અને પ્રોટીન શામેલ કરો. તે તમારા શરીર માટે ફાયદાકારક છે.

ઓગણત્રીસમાં દિવસથી તમે કંઇ પણ ખાઈ શકો. પરંતુ હંમેશાં ખુશ રહેવું જોઈએ. જેથી તમારા શરીરમાં પોષક તત્વો તેમનું કાર્ય યોગ્ય રીતે કરે.

ત્રીસમા દિવસે શરીરને વ્યવસ્થિત રાખવા માટે નવી કસરતો અજમાવો.

આ રૂટીન જો તમે જે વધુ સમય એટલે કે એક મહિના કરતા પણ વધુ સમય સુધી કરો જેનાથી તમને લાંબા ગાળાના બેનીફીટ મળી શકે.. જો લાંબો સમય કરશો તો જ તમને બેનીફીટ થશે નહિ તો પહેલા જેમ હતું તમે ફરીથી તમારું શરીર ખરાબ આદતોનું ઘર બની જશે, એટલે વધુ લાંબો સમય તમે આ કરી શકો એવી ટ્રાય જરૂર કરો. અને આ આદતોને તમારા જીવનનો હિસ્સો બનાવી દો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment