શુક્રવારના દિવસે કરી લો આમાંથી કોઈ પણ ઉપાય… દરેક સમસ્યાઓ થશે દુર

હિંદુ શાસ્ત્રોક્ત અનુસાર બધા દેવી અને દેવતાઓના ખાસ મહત્વ સાથે વાર પણ જોડાયેલા છે. જેમાં દેવી દેવતા સાથે વારનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે બધા જ દેવોનો એક નિશ્વિત વાર જણાવવામાં આવ્યો છે. તો આજે અમે તમને એક એવા જ વાર વિશે જણાવશું અને એક એવા જ દેવી વિશે પણ જણાવશું.  જેને પૂજવાથી તમારા દુઃખ અને જીવનની કોઈ સમસ્યા હોય તેમાં રાહત અનુભવાશે અને દરેક મુશ્કેલીઓથી છુટકારો મળશે. તેની સાથે અમે જણાવશું તે વાર પર આ દેવીની પૂજા કરવામાં આવે અથવા તો અમુક એવા કાર્ય કરવામાં આવે તો ઘરમાં ધનની સમસ્યા પણ દુર થાય છે. તો આજે અમે આ લેખમાં તમને અમુક એવા કાર્ય જણાવશું જે તમારે નીચે જણાવેલ દિવસે કરવા જોઈએ. જીવનમાં ખુબ જ પ્રગતિ થશે.

મિત્રો આજે અમે જે વાર વિશે વાત કરવા જઈ રહ્યા છે છીએ તે વાર છે શુક્રવાર. શુક્રવાર ખાસ કરીને માતા લક્ષ્મીની પૂજા કરવા માટે ખાસ હોય છે. જો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સાચી શ્રદ્ધા અને ભાવ સાથે પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા અવશ્ય તેના ભક્તો પર પડે છે. પરંતુ આ સામાન્ય વાત તો બધા જ લોકો જાણતા હશે કે, જે વ્યક્તિ સાચા હૃદયથી માતા લક્ષ્મીની પૂજા કરે તેના જીવનમાં આર્થિક મામલા સાથે જોડાયેલી દરેક મુશ્કેલીનું નિવારણ આવી જાય છે. પરંતુ મિત્રો આપણા શાસ્ત્રમાં લક્ષ્મીને ચંચળ કહેવામાં આવી છે. કેમ કે માતા લક્ષ્મી ત્યાં જ રોકાય છે જ્યાં સુવાસ હોય. પરંતુ જો તમે લક્ષ્મીને તમારા ઘરમાં ટકાવી રાખવા માંગતા હોવ તો આજે અમે તમને અમુક એવા ઉપાય જણાવશું જેને કરવાથી લક્ષ્મીજી તમારા ઘરમાં અખંડ રહેશે. પરંતુ આ ઉપાય માત્ર શુક્રવારના દિવસે કરવા જોઈએ.

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે આટલું ખાસ કરવું જોઈએ.

સૌથી પહેલા તો શુક્રવારના દિવસે સફેદ રંગના કપડા પહેરવા જોઈએ અથવા તો સફેદ રંગનો એક રૂમાલ સાથે અવશ્ય રાખવો જોઈએ. તેનાથી શાંતિનો અહેસાસ પણ થાય છે અને આર્થિક લાભ થાવની સંભાવના રહે છે.

આમ તો લગભગ કોઈ પણ શુભ કાર્ય અથવા તો કોઈ કામ માટે જઈએ ત્યારે દહીંનું સેવન કરીને જઈએ તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો શુક્રવારના દિવસે ઘરેથી બહાર નીકળવા સમયે દહીનું સેવન કરો તો તેનાથી લક્ષ્મીજી ખુબ જ પ્રસન્ન થાય છે અને તમારા અન્ય દુઃખો પણ દુર થઇ જશે. સામાન્ય રીતે દરેક દેવી દેવતાને ફૂલ અર્પણ કરવામાં આવતા હોય છે. પરંતુ જો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સફેદ ફૂલ અર્પણ કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી ખુબ જ ખુશ થાય છે. જો તમે કાયમી માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો લક્ષ્મીને શુક્રવારે અવશ્ય સફેદ ફૂલ અર્પણ કરવા જોઈએ.

ઘાણી વાર જીવનમાં ખુb જ મહેનત કરવા છતાં પણ સફળતા આપણાથી થોડી દુર રહેતી હોય. તો તેવા સમયે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં તમે જો સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને લાલ ફૂલ અર્પણ કરો.

પોતાના ઘર પર સદા સુખ અને સમૃદ્ધિ ટકી રહે તેવું ઈચ્છતા હોવ તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાની અને પૂજામાં ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:  આ મંત્રનો જાપ કરવો જોઈએ. શુક્રવારના દિવસે જો માતા લક્ષ્મીને પોતાના સામર્થ્ય અનુસાર ખીર, દાડમ, પાન, સફેદ અથવા પીળા રંગની મીઠાઈ  અથવા અન્ય મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી તમારા ઘરમાં કાયમ માટે લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટ્રી રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment