નારાયણ સાઈની પત્નીએ કીધુ કે, મારા સસરા આશારામે મારી સાથે પણ આવું કર્યું હતું…

નારાયણ સાઈની પત્નીએ કીધુ કે, મારા સસરા આસારામેં મારી સાથે પણ આવું કર્યું હતું…

હાલમાં દુષ્કર્મ કેસની સજા કાપી રહેલા આસારામ ના કેસ માં નવો વળાંક આવ્યો છે. સૂત્રથી મળતી જાણકારી અનુસાર હાલમાં જ ખજરાના પોલીસ સ્ટેશન માં સબ ઇન્સ્પેક્ટર શ્યામ કિશોર ત્રિપાઠીએ આસારામ અને નારાયણ ની સામે એક ફરિયાદ કરવામાં આવી છે તેવી પુષ્ટિ કરી છે.

આ મામલામાં ઇન્સ્પેકટરએ કહ્યું છે કે, આ કેસમાં અમે ફરિયાદ પરથી યોગ્ય કદમ ઉઠાવીશું, આ કેસને લઈને જે જાણકારી મળી છે તે આ મુજબ છે… હાલમાં, જ આશારામના પુત્ર નારાયણ સાઈની પત્ની જાનકી (ઉમર ૩૮) એ ખજરાનાપુલીસ સ્ટેશનમાં કહ્યું છે કે, નારાયણ હરાપલાણી(નારાયણ સાઈ)  અને તેના લગ્ન 22 મે 1997 ના રોજ થયા હતા, પણ તે લગ્નબંધનમાં બંધાવા છતાં મારી નજર સામે જ તેમના સબંધો કેટલી બધી નાજયાસ સ્ત્રીઓ સાથે પણ હતા. .. જેનાથી મને ઘણી માનસિક પરેશાની થતી હતી, મને લાગતું હતું કે મારો પતિ સાવ આવો છે, અને તેનાથી મારું માનસિક શોષણ થતું હોય તેમ લાગ્યા કરતુ હતું.

અને આગળ જાનકીએ તેની ફરિયાદમાં કહ્યું કે, મારા પતિ નારાયણ સાઈએ હંમેશા ધર્મના નામ પર ઢોંગ કર્યો છે. મારા પતિ નારાયણ સાઈએ સૌથી મોટો ઘોર અપરાધ તો એ કર્યો છે કે એમણે આશ્રમની સાધ્વી સાથે પણ સબંધ બાંધ્યા હતા.  જયારે સાધ્વી પ્રેગનેન્ટ થઇ તો તેમણે મને કહ્યું કે તે બીજા લગ્ન કરવા માંગે છે. જયારે મેં (જાનકીએ) તેમને કહ્યું કે, જો તમારે બીજા લગ્ન જ કરવા હોય તો તમેં મને છૂટાછેડા (ડિવોર્સ) આપીને તમે સાધ્વી સાથે બીજા લગ્ન કરી શકો છો. પણ નારાયણ સાઈએ મને જણાવ્યા વગર જ તે સાધ્વી સાથે રાજસ્થાનમાં બીજ લગ્ન કરી લીધા અને આ લગ્ન થયા તેનાથી નારાયણ સાઈ અને તે સાધ્વીને એક નાઝાયાસ સંતાન પણ છે. આ ઘટના થી મને માનસિક રીતે ખુબ જ દુખ લાગ્યું છે અને મને સમજાતું નથી કે મારે શું કરું…

બીજી તરફ મારા સસરા (આશારામ) પણ મારી પર ખુબ દબાવ કરતા હતા, તેમણે અવારનવાર મને દબાવમાં લાવી હતી. અને મને કહેતા હતા કે આ મામલે તે પોતાનું મોઢું બંધ રાખે. તો તેઓ તેને કાઈ નહિ કરે અને બીજી તરફથી આશારામ એવો દબાવ પણ કરતા હતા કે, આ મોઢું બંધ રાખુ તે માટે મારા પિયર વાળાને પણ ફોન પર ધમકાવતા હતા.જયારે હું બીજી કોઈ સ્ત્રીઓને નારાયણ સાઈની વાત કહેતી ત્યારે તેઓ મને મો બંધ રાખવા માટે ખુબ દબાણ કરતા, અને ધમકાવતા પણ ખરા… હું ખુબ ડરેલી રહેતી કેમ કે મને મારા સસરાથી પણ ખુબ ડર લાગતો હતો કેમ કે, તે કેવા હતા તેની મને પણ ખબર હતી. વાચક મિત્રો, તમને પણ ખબર હશે કે આશારામ પર પણ બળાત્કારનો કેસ હતો અને તે મામલે જ તેમને જેલ થઇ છે, અને બળાત્કાર સિવાય પણ અન્ય કેટલાય જાતીય શોષણ, ગુંડાગર્દી જેવા કેસો તેમની પર હતા. હાલમાં આશારામ જેલમાં સજા કાપી રહ્યા છે, અને હજુ તેમની સજા શરુ જ છે.

એટલા માટે હવે પોલીસ સ્ટેશનમાં નારાયણ સાઈ વિરુદ્ધ તેની જ  પત્ની જાનકીએ આ ફરિયાદ કરી છે..અને પોલીસે પણ આ ફરિયાદ પરથી પોતાની તપાસ શરૂ કરી દીધી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment