ઘુવડ જોવા મળે તો માનજો આ સંકેત, આ રીતે ઘુવડ બન્યું મા લક્ષ્મીનું વાહન

મા લક્ષ્મીની પૂજા કરવા પર જીવનમાં ધનની ક્યારેય ખોટ થતી નથી. શાસ્ત્રો અનુસાર, મા લક્ષ્મીનું પૂજન કરવાથી ધનના માર્ગ ખુલી જાય છે. શુક્રવારના દિવસે મા લક્ષ્મીને સમર્પિત છે અને આ દિવસે મા લક્ષ્મીની વિશેષ રીતે પૂજા કરવાથી લાભ મળે છે.તે સાથે જ મા લક્ષ્મીને  તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે, મા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરમનોકામનાને પૂર્ણ કરે છે. માનવામાં આવે છે કે, જે ભક્ત મા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરે છે. તેમની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે. 

શાસ્ત્રો અનુસાર, મા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે અને તે ઘુવડની સવારી કરે છે. તેથી પૂજા કરતી વખતે માતાને કમળનું ફૂલ અર્પણ કરવાથી ક્યારેય ઘુવડ તમને કષ્ટ આપતુ નથી. મા લક્ષ્મીનું ઘુવડ વાહન બન્યું તેની સાથે જોડાયેલી પણ એક કથા છે. આવો તેના વિશે જાણીએ. 

કહેવામાં આવે છે કે, આ સંસાર બન્યા બાદ માતા લક્ષ્મી ઘણા બધા દેવી-દેવતાઓની સાથે ધરતીનું ભ્રમણ કરવા માટે આવી હતી. દેવી-દેવતાઓને ધરતી પર જોઇ દરેક પશુ-પક્ષી ખુશ થઇ ગયા. તેમણે જોયુ કે દેવી-દેવતાઓની પાસે ધરતી પર ફરવા માટે કોઇ વાહન નથી. તેવામાં પશુ-પક્ષીના એક સાથે મેળવીને દેવી-દેવતાઓને પ્રાર્થના કરી કે તે પોતાને પોતાના વાહન તરીકે પસંદ કરી લે, અને તેની પર બેસીને સંપૂર્ણ પૃથ્વી ભ્રમણ કરે. 

દેવી-દેવતાઓના પશુ અને પક્ષીઓની વાત માની લીધી અને પોતાના માટે એક-એક પક્ષી અથવા પશુને વાહન તરીકે પસંદ કર્યું. આમ કરતા દરેક દેવી-દેવતાઓને પોતાના માટે એક-એક વાહક શોધી લીધા. પરંતુ મા લક્ષ્મી ઉંડા વિચારમાં હતા અને તેમને સમજણ નહતી પડતી કે ક્યા પશુ કે પક્ષીને પોતાનું વાહન બનાવે.  

તેવામાં મા લક્ષ્મીએ દરેક પશુઓ અને પક્ષીઓને કહ્યું કે, હવેથી દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે પૃથ્વી પર વિચારવા આવશે. તેથી હવે જ્યારે કાર્તિક અમાવસ્યા હશે ત્યારે તે દિવસે તે ધરતી પર આવીને પોતાનું વાહન પસંદ કરશે. ત્યાર બાદ મા લક્ષ્મી કાર્તિક અમાવસ્યાના રોજ પૃથ્વી પર રાત્રીના સમયે આવી, તે દરમિયાન ફક્ત ઘુવડ જ જોવા મળ્યું અને ઘુવડે માતાને કહ્યું તે પોતાને તેમના વાહન તરીકે સ્વીકારે. મા લક્ષ્મીએ પોતાની ચારેય તરફ જોયું પરંતુ કોઇ પશુ-પક્ષી નજર ન આવ્યું તેથી તેમણે ઘુવડને જ પોતાના વાહન તરીકે સ્વીકારી લીધું. ત્યાર બાદથી ઘુવડ પર બેસીને જ માતા લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે. 

ઘુવડને જોવું છે શુભ સંકેત

1) શાસ્ત્રોમાં ઘુવડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘુવડ જો કોઇને જોવા મળે તો તેની પર માતા લક્ષ્મીની કૃપા થાય છે. આ જ પ્રકારે ઘુવડ જો તમારા ઘરના ઘાબા પર આવીને બેસે તો તે પણ શુભ માનવામાં આવે છે.

2) જો ઘુવડ તમને સ્પર્શે તો તેનો અર્થ છે કે તમારા જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થવાની છે. 

3) રાત્રીના સમયે ઘુવડની નજર તમારી પર પડે કે તેનો અવાજ સાંભળવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment