મોંઘી દવાઓ કરતા પણ વધુ ગુણકારી છે આ ચમત્કારિક વૃક્ષના પાંદડા, જાણીલો ઉપયોગ કરવાની સાચી રીત

🌿 મિત્રો કેરી તો બધા લોકો જ ખાતા હશે. કેરી તો બારે માસ નથી મળતી. તે માત્ર સિઝનમાં જ જોવા મળે છે. પરંતુ મિત્રો આંબાના પાંદડા તમને  ગમે ત્યારે મળી શકે છે. આપણે કેરી તો ખાઈએ જ છીએ. અને એ પણ જાણીએ છીએ કે કેરી ફળનો રાજા છે. તેના ફાયદાઓથી પણ માહિતગાર છીએ કે કેરી ગુણોનો ખજાનો છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે આંબાના પાન પણ ખુબ જ ઉપયોગી છે. તો આજે અમે તમને આંબાના પાંદડાના ફાયદાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે કંઈ રીતે તે તમને તમારા જીવનમાં ઉપયોગી બને છે.

🌿 મિત્રો આંબાના પાંદડા ઔષધી અને ઉપચારી ગુણોથી ભરપૂર હોય છે. જ્યારે આંબાના પાંદડા કોમળ હોય છે ત્યારે તે લીલા કલરના  હોય છે. ત્યાર બાદ પછી તે આછા જાંબલી રંગના થઇ જાય છે. આ પાંદડા વિટામીન બી, વિટામીન સી અને વિટામીન એ થી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં અન્ય પોષક તત્વો પણ રહેલા છે. તેમાં ફ્લેનોનોઈડ અને ફીનોઈલ્સના ગુણ જોવા મળે છે. તેથી તે એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. સામાન્ય રીતે લોકો આંબાના પાંદડાનો ઉપયોગ પૂજા પાઠમાં કરતા હોય છે. પરંતુ આંબાના પાંદડાનું સેવન કરીને તમે ઘણી બધી  બીમારીઓથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આંબાના પાંદડાના સેવનથી કંઈ કંઈ બીમારીને દૂર કરી શકાય છે.

🌿 સૌપ્રથમ વાત કરીએ ડાયાબીટીસની તો આંબાના પાંદડા ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ હોય છે. તેના ઉપચાર માટે આંબાના પાંન  ખુબ જ ઉપયોગી છે. આંબાના કોમળ પાંદડામાં એન્થોકાઈનાઈનડીસ હોય છે જે ડાયાબીટીસના ઈલાજ માટે ઉપયોગી છે. પાંદડાને સુકવીને તેને પીસી લો અને તેનો  પાવડર બનાવી લો. ત્યાર બાદ તે પાવડરનું સેવન કરવું. ડાયાબીટીશના રેટીનોપેથીનો ઈલાજ પણ કરે છે.
પણ આ  પાઉડરનું સેવન કેટલું કરવું તેના માટે આયુર્વેદિક ડોક્ટરની  સલાહ જરૂર લેવી જોઈએ, કેમ કે દરેક માણસની તાસીર અલગ અલગ હોય છે.

🌿 આ ઉપરાંત તમે પાવડરના બદલે કોમળ પાંદડાને આખી રાત પલાળી સવારે તે પાણી ગાળી તેનું સેવન પણ કરી શકો છો. તે હાઈપર ગ્લેસેમીયાનો ઈલાજ કરવામાં પણ મદદ કરે છે. આંબાના પાંદડામાં ટીનબીટાતાર્કેરોલ નામનો એક યોગિક અને એથીલ એસીડ નામનું તત્વ હોય છે. જે ચ્યુસલીટી જીએસલ્યુંટીફોરને સક્રિય કરે છે અને ગ્લુકોઝનના સંસ્લેષણને પ્રોત્સાહિત કરીને ઇન્શ્યુલંસ સાથે સક્રિયાત્મકતા કરે છે જેના કારણે તમારી ડાયાબીટીસ તેના સેવનથી કંટ્રોલમાં આવી જાય છે.

🌿 બ્લડ પ્રેસરને પણ કંટ્રોલ કરી શકે છે આ પાન. મિત્રો આંબાના પાંદડા હાઈ બ્લડપ્રેશરને ઘટાડે છે કારણ કે તેમાં તેના ગુણો રહેલા છે. તે રક્ત વાહિકાઓને  મજબૂત કરવામાં અને નસોની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદ કરે છે.

🌿 આંબાના પાંદડા માનસિક તણાવ પણ દૂર કરે છે. ચિંતાના કારણે બેચીની અનૂભવતા લોકો માટે આંબાના પાંન એક સારો ઘરેલું ઉપાય છે.

🌿 સવારે તમારા સ્નાનના પાણીમાં બે ત્રણ ગ્લાસ આંબાના પાંનડામાંથી બનાવેલુ ગરમપાણી નાખી ત્યાર બાદ સ્નાન કરવું જોઈએ તેનાથી સૂસ્તી દૂર થાય છે અને તમે એકદમ તરોતાજા અનુભવો છો.

🌿 મિત્રો જે લોકોને કિડનીમાં સ્ટોન હોય એટલે કે પથરી હોય તેમણે આ પાંનનું સેવન જરૂર કરવું કારણ કે કીડનીમાં રહેલા સ્ટોનને પણ દૂર કરવામાં મદદ કરે છે. આંબાના પાંન કીડની તેમજ પિત્તની પથરીને દૂર કરવા માટે સહાયરૂપ નીવડે છે. તેના માટે આંબાના પાંનને છાંયે સૂકવી લો ત્યાર બાદ તેને પીસીને તેનો પાવડર બનાવી લો. રાત્રે આ પાવડર એક ગ્લાસ પાણીમાં નાખી દો અને તેને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારે તેનું સેવન કરવું. આ રીતે નિયમિત સેવન કરવાથી પથરી બહાર નીકળી જાય છે કારણ કે આંબાના પાંનથી પથરીને તોડવા અને બહાર નીકળવામાં મદદ મળે છે.

🌿 ઉધરસ માટેનો દેશી ઈલાજ છે આંબાના પાંન. આ ઉપરાંત તે દરેક પ્રકારની શ્વાસની સમસ્યામાં ઉપયોગી છે તે ખાસ કરીને શરદી અને અસ્થમાથી પીડિત લોકો માટે ઉપયોગી છે. તેના માટે પાણીમાં આંબાના પાંન અને થોડું મધ નાખી તે પાણી ઉકાળીને એક ઉકાળો તૈયાર કરવો અને તેને પી જવો તેવું કરવાથી ઉધરસ દૂર થાય છે. ગળું બેસી જતું હોય તેમણે પણ આ ઉકાળો જરૂર પીવો કારણ કે તે તેના માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

🌿 કાનના દર્દ માટે ખુબ જ સારો ઉપયોગ છે. આંબાના પાનનો એક ચમચી રસ કાઢી લો અને ત્યાર બાદ તેને થોડો ગરમ કરી લો અને તેનો ઉપયોગ કાન માટે કરો.

🌿 આ ઉપરાંત દાજ્યા હોય તેની માટે પણ ખુબ જ ઉપયોગી છે આંબાના પાંદડા તેના માટે  પાંદડાને સળગાવી તેની રાખ બનાવી લો અને દાજ્યા હોય તે જગ્યાએ એક મુઠ્ઠી રાખ લગાવો તેનાથી તરત રાહત મળે છે. તેનાથી તમને થતી બળતરામાં પણ તાત્કાલિક રાહત મળશે.

🌿 એડકીની સમસ્યા હોય અથવા તો ગાળાની કોઈ અન્ય સમસ્યા હોય તો તેના માટે પણ ઉપયોગી છે તેના માટે આંબાના પાંદડા સળગાવો અને તેના ધૂમાડાનો શ્વાસ લો આવું કરવાથી સમસ્યા દૂર થશે.

🌿 પેટની સમસ્યાઓ રોકવામાં પણ મદદ કરે છે. તેના માટે રાત્રે પાણી ગરમ કરો અને તેમાં આંબાના કોમળ પાંન  રાખી દો ત્યાર બાદ તેને ઢાંકીને આખી રાત રહેવા દો સવારે પાણીને ગાળી લો અને ખાલી પેટ તે પાણીનું સેવન કરો. કોઈ પણ પેટની સમસ્યા નહિ થાય.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ    (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment