આ લોકોએ ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ.. નહિ તો શરીરમાં થશે ગંભીર નુકશાન

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌰 આ લોકોએ ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ… 🌰

💁 ભારતીય રસોઈમાં લસણ એક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. લસણનો ઘણી બધી જગ્યા પર ઉપયોગ થાય છે. જેમ કે મુખ્ય રૂપે તેને રોજ ઘરે બનાવવામાં આવતા શાકમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. જેવી રીતે મસાલાઓ શાકનો સ્વાદ વધારે છે તે જ રીતે લસણ અને આદુ પણ ખાવાનું બનાવતી વખતે સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.Image Source :

🌰 લસણ ખાવાથી પાચનશક્તિ ખુબ જ મજબુત બને છે. લસણ ઘણા રોગોને મટાડવામાં પણ કામ આવે છે. લસણમાં જોવા મળતો એલએસીન નામનો પદાર્થ જેવો શરીરમાં પહોંચે છે તે પાચન સંબંધી દરેક સમસ્યાને ખતમ કરવાનું કામ કરે છે. તેની સિવાય લસણમાંથી ખુબ જ માત્રામાં પ્રોટીન પણ મળે છે અને સૌથી સારી વાત એ છે કે લસણમાં કેલેરી બિલકુલ પણ નથી હોતી.

🌰 પરંતુ તેના સિવાય વ્યક્તિના શરીરની પાંચ એવી સ્થિતિ હોય છે જેમાં લસણનું સેવન કરવું તે ખુબ જ નુંકશાનકારક માનવામાં આવે છે. આ સ્થિતિમાં જો વ્યક્તિ લસણ ખાઈ તો લસણ તેના માટે ઝેર સામન ગણાય છે. તો ચાલો જાણીએ કે તે પાંચ સ્થિતિ કંઈ છે.Image Source :

👩 જે લોકોને બ્લડપ્રેશર ઓછું રહેતું હોય છે તેવા લોકોએ લસણનું ખુબ જ ઓછુ સેવન કરવું જોઈએ. કેમ કે લસણ ખાવાથી બ્લડનું પ્રેશર વધારે ઘટી જાય છે અને શરીરમાં તકલીફ ઉભી કરી શકે છે. આવા લોકોએ ક્યારેય પણ ભૂલથી પણ કાચું લસણ ન ખાવું જોઈએ. તેના સિવાય આવા લોકોએ શાકમાં પણ ખુબ જ ઓછુ લસણ ખાવું જોઈએ. પરંતુ તેનાથી વિપરીત જો બ્લડપ્રેશર હાઈ રહેતું હોય તો તેણે લસણનો ઉપયોગ યોગ્ય માત્રમાં કરવો જોઈએ. તેનાથી તેનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.

👩 જે લોકોને એનેમિયા હોય એટલે કે શરીરમાં લોહીની કમી હોય તેણે કાચું લસણ તો ભૂલથી પણ ન ખાવું જોઈએ. લસણ બોડીમાં જઈને ફેટ અને અને લોહીને બર્ન કરવાનું કામ કરે છે એટલા માટે એનેમીયાની બીમારી વાળા લોકો લસણનું સેવન કરે તો તે જાન લેવા પણ સાબિત થઇ શકે છે અને તેના સિવાય પાકેલા લસણનું પણ ખુબ જ ઓછુ સેવન કરવું જોઈએ.Image Source :

🤰 પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ લસણના સેવનથી બચવું જોઈએ. ઘણા બધા લોકો એવી સલાહ આપતા હોય છે કે પ્રેગનેન્સી સમયે લસણ ખાવું જોઈએ. પરંતુ ક્યારેય આવી પરિસ્થિતિમાં લસણનું સેવન ન કરવું જોઈએ. તેમાં કોઈ શક નથી કે લસણ પાચનશક્તિને મજબુત બનાવીને આપણા શરીરના અંદરના ભાગને મજબુત બનાવે છે. પરંતુ ગર્ભવતી મહિલાની વાત કરીએ તો તેને લસણના સેવનથી બે કારણે નુંકશાન થાય છે.

🌰 પહેલું છે લસણને પકાવ્યા વગર જ તેનું સેવન કરવાથી પ્રિમેચ્યોર બાળક આવે છે. બીજું કારણ છે લસણની તાસીર ખુબ જ ગરમ હોય છે. તેના કારણે એક ગર્ભવતી મહિલાએ ગરમ વસ્તુનું સેવન ખુબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. એટલા માટે પ્રેગ્નેન્ટ મહિલાએ ક્યારેય પણ પપૈયું પણ ન ખાવું જોઈએ કેમ કે તે લસણ કરતા પણ વધારે ગરમ તાસીરનું હોય છે. અને ડોકટરો દ્વારા પણ ન લસણ અને પપૈયું ખાવાની ના કહેવામાં આવી છે.Image Source :

🌰 જો આપણા શરીરમાં તાજું ઓપરેશન કે સર્જરી કરવામાં આવી હોય તો અથવા થવાની હોય, તો તેવા સમયે લસણનું સેવન ન કરવું જોઈએ. કેમ કે તે સમયે લસણ ખાવાથી બ્લડનું પ્રેશર વધી જાય છે. લસણ લોહીને પાતળું કરવાનું કામ કરે છે અને તેનું પ્રેશર પણ વધારે છે. જે સર્જરી અથવા તો ઓપરેશન દરમિયાન તકલીફ ઉભી કરે છે. ડોક્ટરને ઓપરેશન કરતા સમયે અથવા તેના પછી બ્લડને કંટ્રોલ કરવું તે ખુબ જ મુશ્કેલ થાય છે. એટલા માટે આવા લોકોએ ઓપરેશન પછી લસણનું સેવન 15 દિવસ સુધી ન કરવું જોઈએ.

🌰 આ બધી પરેશાની માંથી જો કોઈ પણ પરેશાની હોય તો લસણનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. લસણ એસીડીટીને વધારે છે, તે હાર્ટબર્નને પણ વધારે છે. જે લોકોને એસીડીટી હોય તેવા લોકોએ લસણને કાચું ક્યારેય ભૂલથી પણ ન ખાવું જોઈએ તે જાન લેવા પણ સાબિત થઇ શકે કે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment