સ્નાન કરતા સમયે ન ઉતારો બધા જ કપડા. | પુરાણ અનુસાર બનશો પાપના ભોગી | જાણો તે રહસ્ય.

💁 સ્નાન કરતા સમયે ન ઉતારો બધા જ કપડા…… પુરાણ અનુસાર બનશો પાપના ભોગી… 💁

🛀 આજે અમે તમને જણાવશું એક ખુબ જ મહત્વની જાણકારી જે તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. શું તમે જાણો છો કે શરીર પરના બધા જ કપડા ઉતારીને સ્નાન કરવામાં આવે તો તમને નુકશાન થઇ શકે છે અને પાપના ભાગીદાર બનો છો. તેની વધારે જાણકારી માટે આ લેખને આખો વાંચો તમને યોગ્ય જાણકારી મળી રહેશે.

🛀 મિત્રો નગ્ન અવસ્થામાં નહાવું એટલે કે કપડા વગર નહાવું તે તમને બનાવી શકે છે પાપના ભાગી. સ્નાન એક એવો નિત્ય ક્રમ છે જેને કર્યા પછી દરેક વ્યક્તિ તેને સ્વચ્છ મહેસુસ કરે છે. આધુનિક યુગમાં સ્નાન કરવાની ક્રિયામાં ખુબ જ બદલાવ આવ્યો છે. પહેલાના લોકો ખુલ્લામાં, નદીમાં, તળાવમાં સ્નાન કરતા હતા. પરંતુ હવે સ્નાન કરવા માટે આધુનિક સ્નાનઘર લોકો પોતાના ઘરમાં બનાવે છે અને તે પણ ખુબ જ આધુનિક હોય છે અને તે આખું પેક હોય છે.

🛀 અત્યારે લગભગ બધા જ લોકો શરીર પરના બધા જ કપડા ઉતારીને સ્નાન કરતા હોય છે જે એક સામાન્ય વાત છે. પરંતુ પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાનું વર્જિત માનવામાં આવે છે અને સાથે સાથે તેના ઘણા બધા નુકશાન પણ બતાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે પદ્મ પુરાણમાં નિર્વસ્ત્ર સ્નાન શા માટે વર્જિત છે.

🛀 આ પુરાણમાં ઉલ્લેખિત એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને ખુલ્લામાં નિર્વસ્ત્ર સ્નાન કરવાના વિષય પર જ્ઞાન આપતા હતા. પદ્મ પુરાણમાં ચીર હરણનો ઉલ્લેખ દ્વારા બતાવવામાં આવ્યું છે કે ગોપીઓ તેના વસ્ત્ર ઉતારીને સ્નાન કરવા માટે પાણીમાં ઉતરી જતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલાથી ગોપીઓના વસ્ત્રોને ચોરી લેતા હતા.

🛀 જ્યારે ગોપીઓ વસ્ત્રને શોધતી ત્યારે તેણે વસ્ત્ર મળતા ન હતા ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા કે તમારા વસ્ત્ર વૃક્ષ પર છે, પાણી માંથી નીકળીને વસ્ત્ર લઇ લો.

🛀 નિર્વસ્ત્ર હોવાને કારણે ગોપીઓ જળમાંથી બહાર આવવામાં અસમર્થતા દર્શાવતા કહે છે કે અમે નિર્વસ્ત્ર છીએ અને અમે જળમાંથી બહાર ન આવી શકીએ અને જ્યારે અમે અહિયાં સ્નાન કરવા આવ્યા ત્યારે અહિયાં કોઈ ન હતું.

🛀 આ વાત પર ભગવન શ્રી કૃષ્ણ કહે છે કે તમને એવું લાગે છે કે અહીંયા કોઈ ન હતું. પરંતુ હું તો  દરેક સમયે દરેક જગ્યા પર હોવ છું. આકાશમાં ઉડતા પક્ષીઓ, જમીનમાં રહેતા જીવો અને જળમાં રહેતા જીવોએ પણ તમને નિર્વસ્ત્ર જોયા. એટલું જ નહિ જળમાં નગ્ન થઈને પ્રવેશ કરવાથી જળના દેવતા વરુણ દેવતાએ પણ તમને નગ્ન જોયા. તે વરુણદેવનું અપમાન છે. સ્નાન તમારી નગ્નતા તમને પાપના ભોગી બનાવે છે.

🛀 હવે આપણે જાણીએ કે ગરુડ પુરાણમાં શું લખ્યુ છે.

🛀 ગરુડ પુરાણમાં એવું બતાવવામાં આવ્યું છે કે સ્નાન કરતા સમયે તમારા પિતૃ એટલે કે તમારા પૂર્વજો તમારી આસપાસ જ હોય છે અને વસ્ત્રમાંથી પડતા જળને તે ગ્રહણ કરે છે જેનાથી તેને તૃપ્તિ મળે છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃ અતૃપ્ત થઈને નારાજ થાય છે. તેનાથી વ્યક્તિનું તેજ, બળ, ધન અને સુખ નષ્ટ થઇ જાય છે. પિતૃ જો નારાજ થઇ જાય તો તેનો દુષ્પ્રભાવ પણ ખુબ જ ભયાનક થાય છે અને તેની સીધી અસર આપણા પરિવાર પર પડે છે. એટલા માટે ક્યારેય પણ નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ.

🛀 આપણે જાણ્યું તે પ્રમાણે એક સાધારણ વસ્તુ આપણને પાપનો ભોગી બનાવી શકે છે. જો તમે પણ નિર્વસ્ત્ર સ્નાન કરતા હોવ તો આજથી તમે તમારી આ આદત બદલી નાખો. નહિ તો તમારે ભોગવવું પડશે ભારે નુકશાન.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment