જાણી લો આ ચમત્કારિક મંત્ર જે દરોરજ બોલવાથી થાય છે ધન પ્રાપ્તિ … રંક પણ બની જાય છે રાજા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 સુતા પહેલા આ બે શબ્દ તમે બોલશો તો….  રંક પણ બની જાય છે રાજા……. 💁

🙏 જીવનમાં ઉતાર ચડાવ તો આવતા જ રહે છે, સુખ અને દુઃખ એક સિક્કાના બે ભાગ છે અને જીવન પણ તેના અનુસાર જ ચાલે છે. ક્યારેક મનુષ્ય ખુબ જ સુખી હોય છે તો ક્યારેક તેના જીવનમાં ખુબ જ દુઃખ આવી જતું હોય છે. સારા સમયમાં અઘરામાં અધરું કાર્ય પણ આસાનીથી પૂરું થઇ જાય છે પરંતુ જ્યારે મુશ્કેલ સમય હોય છે ત્યારે નાનું અને સહેલું કામ પણ ખુબ જ અઘરું બની જતું હોય છે. તો ચાલો જાણીએ કે સુતા પહેલા ક્યાં બે શબ્દ બોલવાના છે અને તેના માટે તમારે અમારો આખો આર્ટીકલ વાંચવો પડશે.

Image Source :

🙏 તેવા સમયે ઘણા બધા એવા ઉપાયો કામ આવે છે અને તે ખુબ જ કરગર હોય છે. પરંતુ ઈશ્વરની પ્રાથના એક માત્ર એવી વસ્તુ છે જે ક્યારેય આપણા પર દુઃખ નથી આવવા દેતું. ઈશ્વરીય શક્તિની પાસે મોટામાં મોટી તકલીફ દુર થઇ જાય છે. એવું કહેવામાં આવે છે કે દરેક મનુષ્ય પોતાની કિસ્મત લઈને પૃથ્વી આવ્યો હોય છે તેવું જ તેની સાથે થતું હોય છે. પરંતુ ક્યારેક કિસ્મતમાં સંકટ લખ્યા હોય તો પણ ઈશ્વરની પ્રાથના આપણને કોઈ પણ સંકટમાંથી બહાર કાઢે છે.

Image Source :

🙏 તેના માટે એક જ શરત હોય છે આસ્થા. મનમાં વિશ્વાસ હોય તો કોઈ પણ કામ સફળ થાય છે. આખો દિવસ કામ કરીને જયારે સુવાનો સમય થાય ત્યારે આપને ભગવાનને યાદ કર્યા વગર સુઈ જતા હોઈએ છીએ. આવી ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. ભાગદોડ ભર્યા જીવનમાં બધા જ લોકો સાથે મોટા ભાગે એવું જ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જે ઘરમાં ભગવાનનું નામ લેવાવાળું કોઈ નથી હોતું ત્યાં ગરીબી નિવાસ કરે છે.

Image Source :

🙏 મનુષ્ય સવારે ઉઠતા પહેલા અથવા રાત્રે સુતા પહેલા ભગવાનનું નામ લે તો તેના ઘરમાં વૈભવ અને ધનનું આગમન થાય છે, બધા જ પ્રકારના કષ્ટ દુર થાય છે.  તો હવે અમે તમને જણાવશું તે બે શબ્દ જેનાથી તમે ઘરમાં ધનનું આગમન કરાવી શકશો. કિસ્મતના બધા દરવાજા પણ ખુલી જશે અને વર્ષોથી અટકેલા કામ બનવા લાગે છે. તો ચાલો જાણીએ તે બે શબ્દ વિશે.

Image Source :

🙏 પહેલું નામ છે “ભગવાન શ્રી કૃષ્ણ.”  ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવાથી જ બધા સંકટ દુર થાય છે અને ભગવાનની કૃપા નિરંતર આપણા પર વરસ્યા જ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ એક પૂર્ણ મંત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના અવતાર છે તે આપણે બધા જાણીએ છીએ. એટલા માટે તેના નામના સ્મરણથી જ બધા કષ્ટ દુર થાય છે. અને જો રોજ આ મંત્રનો જપ કરવામાં આવે તો તમારા જીવનમાં ક્યારેય પણ સંકટ નહિ આવે.

🙏 ” કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને,

પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ”

🙏 આ મંત્રનો જપ કરવાથી આ દુઃખ, કલેશ, ડર, નિરાશા બધી જ પ્રકારની નિરાશા દુર થશે.

Image Source :

🙏 બીજો શબ્દ છે જે લોકો ધન સંબંધી પરેશાની છે, જેની પાસે ધન રહેતું નથી તેના માટે ભગવાન શ્રી કૃષ્ણનો એક વિશેષ મંત્ર છે “ગોવલ્લભાય સ્વાહા”. આ મંત્ર એવો છે જે અપાર ધનની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ આ મંત્રનું ઉચ્ચારણ સ્પષ્ટ થવું જોઈએ. જો ખોટા શબ્દ બોલવામાં આવે તો લાભ નથી થતો. જો આ મંત્રને રોજ જપવામાં આવે તો તમે ખુબ જ ધનિક બની શકો છો. આ મંત્ર અને અને ભગવાન શ્રી કૃષ્ણનું નામ સવારે ઉઠો ત્યારે અને સાંજે સુતા પહેલા એકવાર લો  અને પછી જોવો તમારા જીવનમાં કેવા ફેરફાર થાય છે. તમે પણ હેરાન રહી જશો.

આ લેખ વાંચ્યા પછી ઘણા લોકો ને એવું લાગશે કે હું તો રોજે ભગવાનને યાદ કરું છુ. અને રાત દિવસ તેમના નામ લાવ છુ પણ કઈ ફાયદો તો થતો નથી. તો સાંભળી લ્યો કે કદાચ તમારી અત્યારે જે હાલત છે તેનાથી પણ ખરાબ હાલત હોત જો તમે ભગવાનને યાદ ના કરતા હોત. તેથી અત્યારે જે છે તેમાંજ ભગવાનનો આભાર માનજો તેથી પરમ પરમાત્મા પર સંદેહ કરવો તો પાપ છે પણ એવું વિચારવું પણ નહિ. એક દિવસ તમારો પણ દિવસ આવશે જયારે તેના દરબાર માં તમારી પ્રાર્થના પોહ્ચશે. માટે કૃષ્ણ નામ લેતા રહો …

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 Image Source: Google

Leave a Comment