જો તમારા કાંડા પર આ મણિબંધ રેખો બનતી હોય તો જાણીલો આ ખાસ માહિતી…

જાણો તમારા કાંડા પર બનતી રેખાઓથી કે તમે કેટલા ખાસ છો..

આમ તો વ્યક્તિના શરીરમાં હાથ અને પગ પર રેખાઓ આવેલી હોય છે જેમાં વ્યક્તિના હાથ પર બનેલી રેખાઓ પરથી જ્યોતિષ શાસ્ત્ર મૂજબ તે વ્યક્તિનું ભવિષ્ય જોઈ શકાય છે. પરંતુ મિત્રો કોઈ વ્યક્તિના સ્વભાવને જાણવો હોય તો તેના માટે માત્ર હથેળીની રેખા જ મહત્વપૂર્ણ નથી. પરંતુ વ્યક્તિના કાંડા પર બનતી રેખાઓ પણ વ્યક્તિના ઘણા બધા રાઝ ખોલે છે. કારણ કે દરેક વ્યક્તિના કાંડા પર બનતી રેખાઓ પણ અલગ અલગ હોય છે.

મિત્રો કાંડા પર બનતી રેખાઓ દરેક વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ તારવે છે. પરંતુ પહેલા અમે એ જાણાવી દઈએ કે આપણી હથેળીની મુઠી વાળીને તેને આપણા ચહેરા તરફ ખેંચાવની એટલે કે જુકાવવાની અને ત્યાં કાંડા પર પડશે આ રેખાઓ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રેખાનું નામ મણીબંધ રેખા રાખવામાં આવ્યું છે. દરેક વ્યક્તિના કાંડા પર આવી અલગ અલગ રેખાઓ હોય છે તો ચાલો જાણીએ હસ્ત રેખાના જ્યોતિષ મૂજબ તમારી મણીબંધ રેખા કંઈ ખાસિયત જણાવે છે. સમુદ્રશાસ્ત્ર પ્રમાણે આ રેખાઓ હથેળીની રેખા કરતા પણ વધારે પ્રભાવ પાડે છે વ્યક્તિના જીવનમાં. આ રેખા પુરુષોના ડાબા હાથમાં જોવામાં આવે છે જ્યારે સ્ત્રીઓના જમણા હાથ પર જોઇને તેમનો સ્વભાવ જાણી શકાય છે.

મણીબંધ રેખાઓ વ્યક્તિનો સ્વભાવ તો જણાવે જ છે પરંતુ વ્યક્તિની ઉમર પણ દર્શાવે છે. દરેક વ્યક્તિએ આ રેખાની સ્થિતિમાં  વિવિધતા જોવા મળે છે. જો લોકોના કાંડા પર આવી રેખાની સંખ્યા ચાર હોય તો તેના વિશે કહેવાય છે કે તેવા લોકો ખુબ નીડર હોય છે તેમને મૃત્યુથી ક્યારેય ભય નથી લાગતો. જે લોકોના કાંડા પર આવેલ મણીબંધ રેખાની સંખ્યા ત્રણ હોય છે તેમનુ આયુષ્ય ૭૦ થી ૭૫ વર્ષનું હોય છે. અને આવી જ મણીબંધ રેખા જો કોઈ વ્યક્તિના કાંડા પર બે જ હોય તો કહેવાય છે કે આવા લોકો માત્ર ૫૦ થી ૫૫ વર્ષ જ જીવે છે.

મિત્રો તમે જોશો કે કોઈ વ્યક્તિના કાંડા પર બે રેખાઓ હોય છે તો કોઈ વ્યક્તિના કાંડા પર ત્રણ તો કોઈના કાંડા પર ચાર રેખાઓ જોવા મળે છે. આજે અમે આ રેખાઓના આધારે વ્યક્તિ વિશે એવી માહિતી જણાવીશું કે તેના દ્વારા તમે કોઈ પણ વ્યક્તિના કાંડાની રેખા જોઇને તેના સ્વભાવ અને જીવનનો અંદાજો લગાવી શકશો.

જો કોઈ વ્યક્તિના કાંડા પર બે રેખાઓ બનેલી હોય અને તે પણ બિલકુલ સીધી બનેલી હોય ક્યાંથી તૂટતી ન હોય તો તેવા વ્યક્તિના જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ આવતી નથી. આવા વ્યક્તિઓ સુખ સુવિધા અને દોલતથી હંમેશા પરી પૂર્ણ રહે છે. જે લોકોના કાંડા પર ત્રણ રેખા હોય અને તે પણ તૂટેલી ન હોય તો આવા લોકોનું નસીબ ખુબ જ સારું હોય છે અને જીવનમાં તેમને ખુબ સુખની પ્રાપ્તિ થાય છે. હંમેશા નસીબ આવા વ્યક્તિઓનો સાથ આપે છે. આવા વ્યક્તિઓએ વધારે દુઃખનો સામનો કરવો પડતો નથી.

હવે વાત કરીએ એવા લોકોની જેના કાંડા પર ચાર મણીબંધ રેખાઓ આવેલી છે અને તે પણ સીધી ક્યાયથી પણ તૂટેલી ન હોય. તો આ વ્યક્તિની ઉમર ખુબ લાંબી હોય છે અને શાસ્ત્રો અનુસાર આવા લોકો હંમેશા પોતાના કાર્યો ખુબ સારી રીતે કરે છે. ખુબ મહેનતપૂર્વક કરતા કાર્યો તેમને જીવનમાં ઘણા આગળ લઇ જાય છે. તેથી જ તો આવા લોકો પોતાના જીવનમાં સફળ થાય છે અને ખુબ પ્રગતિ કરે છે.

તો આ રીતે કાંડા પર અલગ અલગ સ્થિતિમાં રેખા તમારી ખાસિયતો જણાવે છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment